ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / દલાઇ લામાને PM મોદીએ કહ્યું હેપ્પી બર્થ ડે તો ચીનને લાગ્યા મરચા

ચીન અકળાયું / દલાઇ લામાને PM મોદીએ કહ્યું હેપ્પી બર્થ ડે તો ચીનને લાગ્યા મરચા

Last Updated: 08:24 PM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે, તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાનો જન્મદિવસ હતો જે ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પીએમ મોદીએ પણ દલાઈ લામાને તેમના જન્મદિવસ પર અભિનંદન આપ્યા હતા, ત્યારબાદ ચીને વાંધો ઉઠાવ્યો છે.

ADVERTISEMENT

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહેલા તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા, જેનાથી ચીન નારાજ થયું હતું અને તેણે આ અંગે ભારત સમક્ષ પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. સોમવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે ચીને આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો .

DALAI-LAMA-1

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે સોમવારે બપોરે કહ્યું, "ભારતે તિબેટ સંબંધિત મુદ્દાઓની સંવેદનશીલતાને સંપૂર્ણપણે સમજવી જોઈએ, અલગતાવાદી સ્વભાવને ઓળખવો જોઈએ, તિબેટ સંબંધિત મુદ્દાઓ પર ચીનને આપેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું જોઈએ અને સમજદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. ભારતે આ મુદ્દાઓનો ઉપયોગ ચીનના આંતરિક બાબતોમાં દખલ કરવા માટે ટાળવો જોઈએ."

તેમણે કહ્યું કે ચીને આ અંગે ભારત સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

રવિવારે, તિબેટના 14મા દલાઈ લામાના જન્મદિવસ પર, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, 'હું 1.4 બિલ્યન ભારતીયો સાથે પરમ પવિત્ર દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.તેઓ પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તના કાયમી પ્રતીક રહ્યા છે.' આ સાથે, પીએમ મોદીએ તેમના સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી.

પીએમ મોદીના સરળ અભિનંદન સંદેશથી ચીન ગુસ્સે ભરાયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પીએમ મોદીના અભિનંદન સંદેશ પર વધુમાં કહ્યું કે '૧૪મા દલાઈ લામા એક રાજકીય નિર્વાસિત છે જે લાંબા સમયથી ચીન વિરોધી અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને ધર્મના આડમાં તિબેટને ચીનથી અલગ કરવાનો પ્રયાસ કર્યો છે ".

MODI-PING

એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ચીને દલાઈ લામા પરની ભારતની સત્તાવાર ટિપ્પણીઓની ટીકા કરી છે.

કિરેન રિજિજુના નિવેદનથી ચીન પણ નારાજ થઈ ગયું હતું

ગયા અઠવાડિયે ગુરુવારે, ભારતના સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે તિબેટીયન બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક નેતા તરીકે તેમના અનુગામી પસંદ કરવાનો અધિકાર ફક્ત દલાઈ લામા અને તેમના દ્વારા સ્થાપિત ટ્રસ્ટને જ છે.

તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, માઓએ શુક્રવારે કહ્યું કે ભારતે 'ચીન-ભારત સંબંધોમાં સુધારો કરવામાં અવરોધ ઊભો કરવાનું ટાળવું જોઈએ.'દલાઈ લામા 1959 થી ભારતમાં રહે છે. ચીન સામે નિષ્ફળ સશસ્ત્ર બળવા બાદ તેઓ ભારત ભાગી ગયા હતા. બુધવારે તેમણે કહ્યું કે તેમના ઉત્તરાધિકારીની પુષ્ટિ ફક્ત ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટ જ કરી શકે છે. તેમણે અગાઉ કહ્યું હતું કે તેમના ઉત્તરાધિકારીનો જન્મ ચીનની બહાર. મક્ત વિશ્વમાં થશે.

આ પણ વાંચો: પાકિસ્તાન આર્મીની આબરૂના ધજાગરા, અંદરના માણસે NIA સામે કરી કબુલાત

ચીને દલાઈ લામાના દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી પરંપરા અને ચીની કાયદા અનુસાર કરવામાં આવશે અને તેને ચીનનું સમર્થન આપ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi tweet china reaction Dalailama birthday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ