બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:24 PM, 7 July 2025
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહેલા તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા, જેનાથી ચીન નારાજ થયું હતું અને તેણે આ અંગે ભારત સમક્ષ પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. સોમવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું હતું કે ચીને આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો હતો .
ADVERTISEMENT

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે સોમવારે બપોરે કહ્યું, "ભારતે તિબેટ સંબંધિત મુદ્દાઓની સંવેદનશીલતાને સંપૂર્ણપણે સમજવી જોઈએ, અલગતાવાદી સ્વભાવને ઓળખવો જોઈએ, તિબેટ સંબંધિત મુદ્દાઓ પર ચીનને આપેલી પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું જોઈએ અને સમજદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. ભારતે આ મુદ્દાઓનો ઉપયોગ ચીનના આંતરિક બાબતોમાં દખલ કરવા માટે ટાળવો જોઈએ."
ADVERTISEMENT
તેમણે કહ્યું કે ચીને આ અંગે ભારત સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
I join 1.4 billion Indians in extending our warmest wishes to His Holiness the Dalai Lama on his 90th birthday. He has been an enduring symbol of love, compassion, patience and moral discipline. His message has inspired respect and admiration across all faiths. We pray for his…
— Narendra Modi (@narendramodi) July 6, 2025
ADVERTISEMENT
રવિવારે, તિબેટના 14મા દલાઈ લામાના જન્મદિવસ પર, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, 'હું 1.4 બિલ્યન ભારતીયો સાથે પરમ પવિત્ર દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.તેઓ પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તના કાયમી પ્રતીક રહ્યા છે.' આ સાથે, પીએમ મોદીએ તેમના સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી.
પીએમ મોદીના સરળ અભિનંદન સંદેશથી ચીન ગુસ્સે ભરાયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પીએમ મોદીના અભિનંદન સંદેશ પર વધુમાં કહ્યું કે '૧૪મા દલાઈ લામા એક રાજકીય નિર્વાસિત છે જે લાંબા સમયથી ચીન વિરોધી અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને ધર્મના આડમાં તિબેટને ચીનથી અલગ કરવાનો પ્રયાસ કર્યો છે ".
ADVERTISEMENT

એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ચીને દલાઈ લામા પરની ભારતની સત્તાવાર ટિપ્પણીઓની ટીકા કરી છે.
ADVERTISEMENT
કિરેન રિજિજુના નિવેદનથી ચીન પણ નારાજ થઈ ગયું હતું
ગયા અઠવાડિયે ગુરુવારે, ભારતના સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે તિબેટીયન બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક નેતા તરીકે તેમના અનુગામી પસંદ કરવાનો અધિકાર ફક્ત દલાઈ લામા અને તેમના દ્વારા સ્થાપિત ટ્રસ્ટને જ છે.
ADVERTISEMENT
તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, માઓએ શુક્રવારે કહ્યું કે ભારતે 'ચીન-ભારત સંબંધોમાં સુધારો કરવામાં અવરોધ ઊભો કરવાનું ટાળવું જોઈએ.'દલાઈ લામા 1959 થી ભારતમાં રહે છે. ચીન સામે નિષ્ફળ સશસ્ત્ર બળવા બાદ તેઓ ભારત ભાગી ગયા હતા. બુધવારે તેમણે કહ્યું કે તેમના ઉત્તરાધિકારીની પુષ્ટિ ફક્ત ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટ જ કરી શકે છે. તેમણે અગાઉ કહ્યું હતું કે તેમના ઉત્તરાધિકારીનો જન્મ ચીનની બહાર. મક્ત વિશ્વમાં થશે.
આ પણ વાંચો: પાકિસ્તાન આર્મીની આબરૂના ધજાગરા, અંદરના માણસે NIA સામે કરી કબુલાત
ચીને દલાઈ લામાના દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી પરંપરા અને ચીની કાયદા અનુસાર કરવામાં આવશે અને તેને ચીનનું સમર્થન આપ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.