બોલિવૂડ એક્ટ્રેસ દીયા મિર્ઝાએ સોમવારે બિઝનેસમેન વૈભર રેખી સાથે લગ્ન કરી લીધા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી પણ દીયાનાં લગ્નમાં એક બાબત ચર્ચાનો વિષય બની હતી. તેનાં લગ્નમાં પુરુષ પંડિત નહીં પણ મહિલા પંડિતને બોલાવવામાં આવી હતી.
દીયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા
લગ્નમાં મહિલા પંડિતે મંત્ર વાંચ્યા
ફેન્સે ફેમિનિઝમને લઈને કમેન્ટ પાસ કરી
મહિલા પંડિત જોઈને ફેન્સે કમેન્ટ કરી
દીયા મિર્ઝાના લગ્નમાં તે વર-વધુનાં લુક ઉપરાંત અન્ય એક બાબતે પણ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. દીયાનાં લગ્ન કોઈ પુરુષ પંડિતે નહીં પણ મહિલા પંડિતે કર્યાં હતા. જે તસવીર જોઈને દીયાનાં ઘણાં ફેન્સે તેનાં વખાણ કર્યાં હતા જ્યારે અમુક ફેન્સે તો કહ્યું કે દીયા સાચા અર્થમાં ફેમિનિઝ્મને ફોલો કરે છે.
દીયા મિર્ઝાએ તેનાં લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી પોસ્ટમાં લખ્યું હતું કે, પ્રેમ એક સંપૂર્ણ ચક્ર છે જેને આપણે ઘર કહીએ છીએ. તેની પુકારને સાંભળવી તેનાં માટે દરવાજો ખોલવો અને પછી તેની સાથે મુલાકાત કરવી તે પણ જાદુઈ છે. વધુમાં દીયાએ લખ્યું કે, સ્વયમનાં સંપૂર્ણ થવાનાં આ પળને તમારી સાથે શેર કરી રહી છું. મારો પરિવાર મોટો થઈ ગયો છે. ઈશ્વર કરે કે દર ટૂકડાને તેનાં પૂરક ટૂકડા મળી જાય. દરેક અધૂરા દીલ પૂરા થઈ જાય અને ઈશ્કનો જાદુ આપણી આસપાસ ઘટતો રહે.
દીયા મિર્ઝાની તસવીરોમાં તે તેનાં પતિ વૈભવની પાસે બેસેલી જોવા મળે છે. બંને પતિ-પત્ની હવન કુંડમાં આહુતિ આપી રહ્યા છે અને પાસે બેસેલી પંડીતાઈન હવન કુંડમાં આહુતી આપી રહી છે. જેને ફેન્સે ખૂબ જલ્દી નોટીસ કરી લીધુ અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં ઘણાં ફેન્સે આ અંગે પ્રતિક્રિયાઓ આપી. એક યુઝરે લખ્યુ કે, પંડિતાણી.. આ તો સાચા અર્થમાં ફેમિનિઝમને જીવે છે. એક યુઝરે લખ્યુ કે મહિલા પંડિતજી તો પહેલી વાર જાઈ.