.ભગવાનનું બીજુ રૂપ એટલે કે..તબીબ...લોકો જો કોઈની પાસે હાથ ફેલાવતા હોય તો તે છે એક તો કુદરત.બીજો છે તબીબ...પરંતુ આ જ તબીબ ક્યારેક પોતાની ફરજ ચૂકી જાય છે..અને આવા તબીબો પર અંકુશ લાદવા જ કેન્દ્ર સરકાર NMC બિલ લાવી છે...પરંતુ આ બિલના કારણે તબીબો આજે હડતાલ પર ઉતરી ગયા.આ બિલ અંતર્ગત MBBS પાસ કર્યા પછી તમામ ડોક્ટરોએ પ્રેક્ટિસ કરવા માટે એક એક્ઝિટ ટેસ્ટ પાસ કરવી પડશે અને તે બાદ જ પ્રેક્ટિસ કરી શકશેતે ઉપરાંત અન્ય જોગવાઈઓને કારણે પણ તબીબો આ બિલનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અહીં સવાલ એ છે કે આખરે તબીબોને આ બિલથી વાંધો શું છે? શું તબીબોની નિયત સામે આ બિલ યોગ્ય છે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન