બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:21 PM, 5 February 2021
ADVERTISEMENT

કેટલીક વાર વસ્તુઓ ખરીદતી વખતે આપણે કંઇ જ ધ્યાન આપતા નથી અને તેના પર રહેલી નીશાનીઓને પણ નજરઅંદાજ કરી દઇએ છીએ. તેમાંથી એક છે દવા. જ્યારે પણ આપણે ટેબલેટ ખરીદીએ છીએ તો તેના પર લાલ રંગની એક પટ્ટી હોય છે, ક્યારેય વિચાર્યુ છે કે તે પટ્ટી શું દર્શાવે છે.
ADVERTISEMENT
મોટાભાગના લોકો જ્યારે બિમાર પડે છે ત્યારે ડૉક્ટર પાસે જવાની જગ્યાએ સીધા મેડીકલ સ્ટોર પર જાય છે અને પોતાની પરેશાનીને અડધી કહીને દવા ખરીદી લે છે. તેનાથી બિમારી ઠીક તો થઇ જાય છે પરંતુ કેટલીક વાર ગંભીર સાઇડ ઇફેક્ટ થાય છે.
જ્યારે પણ તમને સામાન્ય તાવ કે શરદી થાય છે તો તમે મેડિકલ સ્ટોર પર જવાની જગ્યાએ ડૉક્ટર પાસે જ જાઓ અને તેમની સલાહ બાદ જ દવા ખરીદો.
ADVERTISEMENT

દવાનો ખોટો ઉપયોગ ન થવો જોઇએ
દવાના પત્તા પર લાલ રંગની પટ્ટી માટે ખુબ ઓછા લોકો જાણે છે પરંતુ ડૉક્ટર્સને તેના વિશે ઘણી ખબર હોય છે. તેના પર રહેલી લાલ રંગની પટ્ટી દર્શાવે છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તે દવાને વેચી શકાય નહી.
ADVERTISEMENT
એન્ટીબાયટીક દવાઓનો ખોટો ઉપયોગ ન થાય તેના માટે તેના પેકિંગ પર લાલ રંગની પટ્ટી હોય છે.
દવા પર બનેલા નિશાન અવશ્ય જુઓ
ADVERTISEMENT
આ પ્રકારના કારણોને કારણે દવા ખરીદતી વખતે તેના પર લાગેલા નીશાનને ધ્યાનથી જુઓ અને તે શું દર્શાવે છે તે સમજવાનો પ્રયત્ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.