બ્રેકિંગ ન્યુઝ
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Why do you yawn when you see each other? Do you know
Pooja Khunti
Last Updated: 12:52 PM, 8 January 2024
ADVERTISEMENT
દરેક વ્યક્તિનાં જીવનમાં દરરોજ એવી ઘટનાઓ થતી હોય છે, જેને લોકો સામાન્ય સમજે છે. જોકે લોકો એ પણ નથી જાણતા કે તેની પાછળ વિજ્ઞાન કામ કરે છે. આવી જ એક સામાન્ય પ્રક્રિયા છે બગાસું આવવું. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ માણસ એક કામ કરીને થાકી જાય છે ત્યારે તેને બગાસા આવવા લાગે છે. શું ખરેખર આજ કારણ છે?
ADVERTISEMENT
બગાસું આવવું
ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે એક વ્યક્તિને બગાસું આવે છે તો તેની આસપાસનાં લોકોને પણ બગાસા આવવા લાગે છે. એવું કેમ થાય છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિને બગાસું લેતા જોવ છો ત્યારે તમને પણ બગાસું આવવા લાગે છે. આવું આળસનાં કારણે થાય છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે.
બગાસું આવવું કોઈ ચેપ છે?
આમ તો બગાસું આવવું એક સામાન્ય પ્રક્રિયા છે. આ કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ચેપ નથી. તો પછી અન્ય વ્યક્તિનીમાં આ વ્યવહાર એટલો જલ્દી કેમ જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ તેનો જવાબ શોધી કાઢ્યો છે. જેનું સીધું કનેક્શન તમારા મગજ સાથે છે. ઈટાલીના વૈજ્ઞાનિકોના મતે આની પાછળ મિરર ન્યુરોન કારણભૂત છે. આ ન્યુરોન કંઈ પણ નવું શીખવા, નકલ કરવા અને સહાનુભૂતિ દર્શાવવા સાથે સંકળાયેલ છે. તેના નામ પ્રમાણે, તે સામેવાળી વ્યક્તિની પ્રતિક્રિયાને તૈયાર કરે છે. આ જ કારણ છે કે જ્યારે સામેવાળી વ્યક્તિને બગાસું આવે છે ત્યારે મગજનો મિરર ન્યુરોન સક્રિય થઈ જાય છે અને તમને પણ તે સમયે બગાસું આવવા લાગે છે.
વાંચવા જેવું: શિયાળામાં સૂતાં સમયે જકડાઈ જાય છે પગ? હોઈ શકે છે વિટામિનની કમી, જાણો શું છે ઈલાજ
અદ્ભુત છે આ વિજ્ઞાન
આ ચેતાકોષની શોધ જીયાકોમો રિઝોલાટી નામના ન્યુરોબાયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવી હતી. તેમણે પહેલા વાંદરાના મગજ પર સંશોધન કરીને આ ગતિવિધિ સમજી હતી. જ્યારે આ પ્રયોગ મનુષ્ય પર કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે અહીંયા પણ બરાબર એ જ રીતે કામ કરે છે. મગજના ચાર ભાગોમાં મિરર ન્યુરોન્સ જોવા મળે છે. આ ન્યુરોન લોકોની કામ કરવાની ક્ષમતા પર તેની અસર છોડે છે. ઓટીઝમ, સ્કિઝોફ્રેનિયા અને મગજ સંબંધિત કેટલાક રોગોમાં આ ચેતાકોષ પ્રભાવિત થાય છે. જેના કારણે તેની કાર્યક્ષમતા ઘટી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT