બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / પૂર્વ CMના પુત્ર, રહી ચૂક્યા છે સાંસદ, કેજરીવાલને હરાવનાર પરવેશ વર્મા કોણ છે?
Last Updated: 03:03 PM, 8 February 2025
Pravesh Sahib Singh Verma : દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાજેતરમાં વિધાનસભા ચૂંટણી યોજાયા બાદ આજે સાંજ સુધીમાં પરિણામ આવી જશે. જોકે હાલ આંકડાઓ પર નજર કરીએ તો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે અને પરિણામોમાં મોટા ઉથલપાથલ જોવા મળી છે. આમાં સૌથી મોટો અપસેટ દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલની ચૂંટણીમાં હારનો છે અને તેમને ચૂંટણીમાં હરાવનારા પરવેશ વર્મા સાહિબ સિંહ વર્મા છે. આ બેઠક પરથી કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત પણ ચૂંટણી લડી રહ્યા હતા.
ADVERTISEMENT
આવો જાણીએ કોણ છેપરવેશ વર્મા સાહિબ સિંહ વર્મા ?
પરવેશ વર્મા સાહિબ સિંહ વર્મા દિલ્હીના એક અગ્રણી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરવેશ વર્મા સાહિબ સિંહ વર્મા પૂર્વ ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે. તેમના કાકા આઝાદ સિંહ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે 2013 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપની ટિકિટ પર મુંડકા મતવિસ્તારમાંથી પણ ચૂંટણી લડી છે. 1977માં જન્મેલા પરવેશ વર્માએ દિલ્હી પબ્લિક સ્કૂલ, આરકે પુરમમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને બાદમાં દિલ્હી યુનિવર્સિટીની કિરોરીમલ કોલેજમાંથી સ્નાતક થયા. આ પછી તેણે ફોર સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી MBA કર્યું.
ADVERTISEMENT
2013માં થયો હતો રાજકારણમાં પ્રવેશ
પરવેશ સાહિબ સિંહ વર્માનો રાજકારણમાં પ્રવેશ 2013 માં શરૂ થયો હતો, જ્યારે તેમણે મહેરૌલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને દિલ્હી વિધાનસભા જીતી હતી. સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ સંસદસભ્યોના પગાર અને ભથ્થાં પરની સંયુક્ત સમિતિના સભ્ય રહ્યા છે. તેમણે શહેરી વિકાસ અંગેની સ્થાયી સમિતિમાં કામ કર્યું છે.
ADVERTISEMENT
કેજરીવાલને હટાવવાની ઝુંબેશ શરૂ થઈ અને પછી.....
2025ની દિલ્હી ચૂંટણી પહેલા પરવેશ સાહિબ સિંહ વર્માએ "કેજરીવાલ હટાઓ, દેશ બચાવો" નામનું એક અભિયાન શરૂ કર્યું, જેમાં વર્તમાન AAP વહીવટીતંત્રની તેની પ્રાથમિક પ્રતિબદ્ધતાઓ પૂર્ણ ન કરવા બદલ ટીકા કરવામાં આવી. પોતાના પ્રચારમાં તેમણે દિલ્હી સરકારની આકરી ટીકા કરી હતી. આ દરમિયાન તેમણે પ્રદૂષણ સંબંધિત ચિંતાઓ, મહિલાઓની સુરક્ષા અને નાગરિક માળખાગત સુવિધાઓના વિકાસના મુદ્દાઓ ઉઠાવ્યા. તેમણે યમુનાની સફાઈનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : યોગીએ ખેલ પલટી નાખ્યો, ભાજપે મિલ્કીપુર બેઠક જીતીને હારનો હિસાબ ચૂકતે કર્યો
પોતાના નિવેદનોથી ચર્ચામાં રહે છે પ્રવેશ સાહિબ સિંહ વર્મા
ADVERTISEMENT
પરવેશ સાહિબ સિંહ વર્મા પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. તેમણે 2019 માં નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધીઓ વિરુદ્ધ કઠોર ટિપ્પણીઓ કરી હતી . તેમણે 2022માં એક ચોક્કસ સમુદાયના વ્યવસાયનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું હતું, જેના પછી વિવાદ ઉભો થયો હતો. 2023માં છઠ પૂજા પહેલા તેમનો એક વીડિયો વાયરલ થયો હતો આ વીડિયોમાં તેઓ એક સરકારી અધિકારી સાથે દલીલ કરી રહ્યા હતા. તેઓ પોતાના સાહિબ સિંહ વર્માના આદર્શોને અનુસરીને રાજકારણમાં આગળ વધી રહ્યા છે. પોતાની રાજકીય સફરમાં તેમણે દિલ્હીના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. આ ક્ષણે બધાની નજર તેમના પર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.