બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:49 PM, 8 February 2025
મિલ્કીપુર બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. આજે મતગણતરીની શરૂઆતથી જ ભાજપના ચંદ્રભાનુ પાસવાને પોતાની લીડ જાળવી રાખી હતી અને આખરે જીત મેળવી હતી. સમાજવાદી પાર્ટીના અજિત પ્રસાદને હારનો સામનો કરવો પડ્યો છે. તેમના પિતા અવધેશ પ્રસાદના સાંસદ બનવાને કારણે આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ભાજપ અને સમાજવાદી પાર્ટી માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ હતી. પેટાચૂંટણીમાં આ જીત સાથે, ભાજપે ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં અયોધ્યા-ફૈઝાબાદ બેઠક પર પોતાની હારનો બદલો લઈ લીધો છે. જૂનમાં થયેલી હારના માત્ર 8 મહિના પછી, સીએમ યોગી આદિત્યનાથના માથેથી હારનું કલંક આ સાથે દૂર થયું છે કારણ કે આ સીટ પરની સ્થિતિ તેમણે સાંભળી હતી.
ADVERTISEMENT
મિલ્કીપુરમાં મોટી જીત
મિલ્કીપુરમાં મોટી જીત મેળવીને, ભાજપે અયોધ્યા લોકસભામાં પોતાની હારનો બદલો લીધો છે. ગયા વર્ષે 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને રામ લલ્લાનો અભિષેક થયો હોવા છતાં, આ બેઠક પરની હારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ભાજપની જીત કલંકિત થઈ ગઈ હતી. શનિવારે મતગણતરીની શરૂઆતથી જ ભાજપ સતત આગળ ચાલી રહ્યું હતું. અંતિમ પરિણામો આવ્યા ત્યાં સુધીમાં, આ અંતર ઘણું મોટું થઈ ગયું.
ADVERTISEMENT

અયોધ્યા ખોયું હતું ભાજપે
ADVERTISEMENT
ગયા વર્ષે લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થયા પછી રામલલાના ગઢ અયોધ્યામાં ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને હારનો સામનો કરવો પડ્યો. તેમને સપાના અવધેશ પ્રસાદે હરાવ્યા હતા જોકે રાજકીય વિશ્લેષકો માટે આ પરિણામ આશ્ચર્યજનક હતું. આ પછી, પીએમ મોદી અને સીએમ યોગીની રણનીતિ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા હતા.
યોગી આદિત્યનાથે લગાવ્યું એડીચોટીની જોર
ADVERTISEMENT
મિલ્કીપુર વિસ્તારમાં, યોગીના નેતૃત્વમાં ભાજપ સતત સત્તા સંભાળી રહ્યું હતું. યોગીએ પોતે મિલ્કીપુરમાં અનેક જાહેર સભાઓ કરી હતી અને કેબિનેટ મંત્રીઓ અને ભાજપ સંગઠને પણ ત્યાં ધામા નાખ્યા હતા. યોગીએ કોઈપણ કિંમતે મિલ્કીપુર જીતવાનું પોતાનું મિશન બનાવ્યું અને આ કાર્ય જવાબદાર નેતાઓના ખભા પર મૂક્યું. ઘણા વિચાર-વિમર્શ પછી, ઉમેદવારની પસંદગીમાં સાવધાની રાખવામાં આવી. લગભગ અડધો ડઝન ઉમેદવારોમાંથી, ચંદ્રભાનુને ટિકિટ આપવામાં આવી. યોગી આદિત્યનાથે મિલ્કીપુરમાં ભાજપના પ્રચારની દેખરેખ માટે મંત્રી સૂર્ય પ્રતાપ શાહીના નેતૃત્વમાં 6 મંત્રીઓની નિમણૂક કરી. શાહી સાથે, જળ સંસાધન મંત્રી સ્વતંત્ર દેવ સિંહ, સહકાર રાજ્ય મંત્રી જેપીએસ રાઠોડ, આયુષ મંત્રી દયાશંકર સિંહ, રાજ્ય મંત્રી મયંકેશ્વર શરણ સિંહ અને સતીશ શર્માનો સમાવેશ થાય છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ધર્મેન્દ્ર સિંહ અને પ્રદેશ મહામંત્રી સંજય રાય પણ સતત સક્રિય રહ્યા.
વધુ વાંચો: હાર બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, ભાજપને શુભેચ્છા આપતા જુઓ શું કહ્યું?
ADVERTISEMENT

ભારતીય જનતા પાર્ટીએ જે રીતે પાયાના સ્તરે કાર્યકરોને એક કરવા અને બૂથ લેવલ મેનેજમેન્ટ પર કામ કર્યું, તેની અસર દેખાઈ રહી હતી. હવે યોગી આદિત્યનાથ 2027 ની વિધાનસભા ચૂંટણી સુધી આ મોડેલને અપનાવવાની તૈયારી કરી રહ્યા છે. સીએમ યોગીએ સતત મિલ્કીપુરની મુલાકાત લીધી અને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ચૂંટણી પરિણામોમાં તેની અસર દેખાઈ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.