બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો ખેડૂતોએ કર્યો વિરોધ, મોદી-ટ્રમ્પના પૂતળાં સળગાવ્યાં

નેશનલ / ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો ખેડૂતોએ કર્યો વિરોધ, મોદી-ટ્રમ્પના પૂતળાં સળગાવ્યાં

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:42 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rohtak Farmers Protest: હરિયાણાના રોહતકમાં ખેડૂતો ભારત-અમેરિકા વચ્ચે થનાર વેપાર કરાર સામે રસ્તા પર ઉતર્યા છે.

Rohtak Farmers Protest: હરિયાણાના રોહતકમાં ખેડૂતો ભારત-અમેરિકા વચ્ચે થનાર વેપાર કરાર સામે રસ્તા પર ઉતર્યા છે. અમેરિકા-ભારત વચ્ચે થનારી ટ્રેડ ડીલના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચાના સભ્યોએ પ્રદર્શન કરી ભાજપ કાર્યાલય પર પહોચી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પૂતળા સળગાવ્યા હતા. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો કોઈ વેપાર કરાર થશે તો ભવિષ્યમાં તેનો પણ હિસાબ કરવામાં આવશે.

ભાજપ કાર્યાલયની બહાર પુતળા સળગાવ્યા

સંયુક્ત કિસાન મોરચાના સભ્યોએ રાજીવ ગાંધી સ્ટેડિયમની બહાર પ્રદર્શન શરૂ કર્યુ હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ભાજપ કાર્યાલય તરફ આગળ વધ્યા. પોલીસે ભાજપ કાર્યાલયને બેરિકેડ કરી દીધો, ત્યારબાદ તેમણે તહસીલદારને આવેદનપત્ર સુપરત કર્યું અને સરકારનું પુતળા સળગાવ્યા. ખેડૂત નેતા ઈન્દ્રજીતસિંહે કહ્યું કે અમેરિકા ભારતીય ખેતીને બરબાદ કરી દેશે. ભારત સરકારે આ બંધ કરવું જોઈએ.

અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય નેતા ઈન્દ્રજીત સિંહે કહ્યું કે આજે ખેતીપાક અને તેની નસ્લને બચાવવાની લડાઈ છે. ખેડૂતોએ 2020-21 માં પણ સરકાર સામે લડત આપી હતી. હવે પાક પર ફરી ખતરો મંડરાઇ રહ્યો છે. ભાજપ સરકાર પાક અને ખેતી અમેરિકાને સોંપવા માંગે છે, જે સહન કરવામાં આવશે નહીં.

ભાજપ શિક્ષણ કોર્પોરેટને સોંપી રહી છે.

ઈન્દ્રજીત સિંહે કહ્યું કે જંતર મંતર પર યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકાર બાળકોનું શિક્ષણ અને પરીક્ષાનો અધિકાર કોર્પોરેટને સોંપવા માંગે છે, જેના વિરોધમાં અમે ભાજપ કાર્યાલય પર વિરોધ કરી રહ્યા છીએ. પોલીસને લાગે છે કે તેઓ બેરિકેડ ઉભા કરીને અમને રોકી લેશે, પરંતુ જ્યારે અમિત શાહે બેરિકેડ હટાવ્યા, તો આમને ઓકાત શું છે?

VTV Digital 1

આ પણ વાંચોઃ CJP protest / CJP હિંસા કેસ પહોંચ્યો હાઈકોર્ટ, કેન્દ્ર અને દિલ્હી પોલીસ પાસેથી માંગ્યો જવાબ

પોતાના કાર્યોથી ડરતી સરકાર

ઈન્દ્રજીત સિંહે કહ્યું કે ભાજપ સરકાર પોતાની કરતુતોથી ડરેલી છે. ખેડૂતો અને મજૂરોના દીકરા-દીકરીઓથી ડરેલી સરકાર ક્યાં સુધી શાસન કરશે? તેમને શાસન કરવાનો કોઈ અધિકાર નથી. જો ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવે છે, તો તેનો હિસાબ લેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Haryana PM Modi Rohtak Farmers Protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ