બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Dinesh
Last Updated: 08:35 AM, 21 June 2023
આજકાલની લાઈફસ્ટાઈમાં લગભગ દરેક ત્રીજા વ્યક્તિને પીઠમાં દુખાવાની સમસ્યા થઈ રહ છે. જેનું સૌથી મોટુ કારણ છે ખોટા પોસ્ચરમાં કલાકો સુધી બેસી રહેવું. આજના સમયમાં લોકો 9થી 10 કલાક સુધી ઓફિસમાં સતત બેસીને લેપટોપ પર કામ કરે છે.
એવામાં પીઠ દર્દની સમસ્યા થવી એક દમ સામાન્ય વાત છે. જો તમે પણ કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે પોતાની દિનચર્યામાં યોગને શામેલ કરવો જોઈએ. પીઠમાં દુખાવો થાય તો કયો યોગ કરવો જોઈએ? જો આ સવાલ તમારા મનમાં ઉઠે છે તો અહીં અમે તમને 5 યોગ પોઝના નામ જણાવી રહ્યા છીએ જે તમારી પીઠના દુખાવાની સમસ્યાને દૂર કરી શકે છે.
તાડાસન
જો તમે પીઠના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે તાડાસન કરવું જોઈએ. તાડાસન ઉભા થઈને કરવામાં આવે છે પરંતુ તમે કમરના દુખાવામાં તાડાસન સુઈને પણ કરી શકો છો. દુખાવાથી રાહત મેળવવા માટે તમે આ ઓછામાં ઓછુ 5 વખત કરો.
ઉષ્ટ્રાસન
પીઠનો દુખાવો દુર કરવા માટે તમે ઉષ્ટ્રાસન કરી શકો છો. ઘુટણ પર બેસીને કરવામાં આવતા આ યોગથી પીઠનો દુખાવો દુર થઈ જાય છે. આ યોગને પણ ઓછામાં ઓછુ 5 વખત કરવાનો પ્રયત્ન કરો.
સેતુબંધાસન
કમરના દુખાવાની સમસ્યાને ખતમ કરવા માટે તમે સેતુબંધાસન જરૂર કરો. સેતુબંધાસન બ્રિજની જેમ દેખાય છે. તેને કરવાથી કમરમાં મજબૂતી આવે છે.
ભુજંગાસન
ભુજંગાસનને કોબરા પોઝ આસન પણ કહેવામાં આવે છે. આ આસન કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે સાથે જ પેટની ચરબી પણ ઓછી થાય છે.
ધનુરાસન
ધનુરાસનથી પીઠનો દુખાવામાં રાહત મળે છે. આમ કરતી વખતે શરીર એક ધનુષ આકારમાં જોવા મળે છે. આ આસનને પણ તમે ઓછામાં ઓછા 5 વખત જરૂર કરો.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime