બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ભારત / Which 'VIP guest' did Pulkit want Ankita to sleep with? Gangrape-murder, a dirty trick at the resort
Hiralal
Last Updated: 09:43 PM, 21 December 2023
ઉત્તરાખંડના ઋષિકેશના રિસોર્ટના સપ્ટેમ્બર 2022ના ચકચારી અંકિતા ભંડારી મર્ડર કેસમાં દોઢ વર્ષ પછી પણ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આવો એક ખુલાસો હવે સામે આવ્યો છે. વનંતરા રિસોર્ટનો માલિક અને નેતાનો પુત્ર પુલકિત આર્ય તેની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીને રિસોર્ટમાં જે વીઆઈપી સાથે એક્સ્ટ્રા સર્વિસ આપવાનું દબાણ કરતો હતો તેનું નામ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર એક મોટા નેતાને ખબર હતી કે પુલકિતના રિસોર્ટમાં છોકરીઓ આવે છે અને સર્વિસ મળે છે તેથી તેણે અંકિતા પાસે એક્સ્ટ્રા સર્વિસ લેવાની વાત કરી હતી અને આ માટે જ પુલકિત અંકિતા પર દબાણ કરતો હતો. જોકે અંકિતા સારા ઘરની છોકરી હતી અને તેણે આ ઓફર ફગાવી દીધી હતી અને તેને ખબર પડી ગઈ હતી કે રિસોર્ટમાં ગંદો ખેલ થઈ રહ્યો છે અને તેથી તેણે નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો હતો પરંતુ અંકિતા નોકરી છોડે તે પહેલા પુલકિત અને તેના દોસ્તોએ સાથે મળીને અંકિતાને કેનાલમાં ધક્કો મારીને મારી નાખી હતી.
Uttarakhand pehle landslide ya bus girne ke lie news main rehta tha lekin ab murder/rape cases ke lie😕
— Tripti Naithani #पहाड़ी (@triptinaithani) July 8, 2023
This injustice in the Ankita Bhandari Murder case must not be overlooked.
Lets stand united in demanding #JusticeForAnkitaBhandari 🙏@pushkardhami @OfficeofDhami @NCWIndia https://t.co/Y0x4RC8149
પુલકિત અને દોસ્તોએ અંકિતા પર કર્યો હતો ગેંગેપ
આ ઘટનામાં આરોપી પુલકિત અને તેના દોસ્તોએ કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને અંકિતા પર ગેંગરેપ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ગેસ્ટને વીઆઈપી સર્વિસ આપવાનું પણ દબાણ કરતો હતો.
હાઈકોર્ટે પુલકિત આર્યની જામીન અરજી ફગાવી
ઉત્તરાખંડના ઋષિકેશમાં સપ્ટેમ્બર 2022ના ચકચારી અંકિતા ભંડારી મર્ડર કેસના મુખ્ય આરોપી પુલકિત આર્યને મોટો ઝટકો લાગ્યો છે. નૈનીતાલ હાઈકોર્ટે પુલકિત આર્યની જામીન અરજી ફગાવી દેતાં તેને જેલમાં રાખવાનું યોગ્ય સમજ્યું છે. નૈનીતાલ હાઈકોર્ટને પુલિકત આર્યનો ગુનો ગંભીર લાગ્યો છે અને તેથી જામીન આપવાની સ્પસ્ટ ના પાડી દીધી છે. આ પછી આરોપી પુલકિત જેલમાં જ રહેશે. પુલકિત આર્ય ઋષિકેશના વનંતરા રિસોર્ટનો માલિક હતો. પુલકિત આર્યના રિસોર્ટમાં અંકિતા ભંડારી નામની 20 વર્ષની છોકરી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી પરંતુ તેને ખબર નહોતી કે તેનો માલિક ઉઠીને તેને ગેસ્ટ સાથે સેક્સ માણવાનું કહેશે અને તેની સાથે પણ દુષ્કર્મ કરશે.
Ankita Bhandari murder case: Uttarakhand BJP leader Vinod Arya expelled after son's arrest pic.twitter.com/wIMQ964AQx
— Newsum (@Newsumindia) September 24, 2022
અંકિતાને મહેમાનો સાથે સુવાનું દબાણ કરતો
આરોપી પુલકિત ચોવીસ કલાક નશામાં રહેતો હતો અને તે રિસોર્ટમાં આવતાં મહેમાનોને ખુશ કરવા માટે અંકિતાને તેમની સાથે સુવાનું દબાણ કરતો હતો, તે અંકિતાને કહેતો કે તારે ગેસ્ટને વીઆઈપી સર્વિસ આપવાની છે જોકે આવું કરવું અંકિતાને નહોતું ગમતું. આથી રહસ્ય ખુલી જવાના ડરથી પુલિકત અને પુલકિતે તેના સાથીઓ સાથે મળીને અંકિતાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને કેનાલમાં લઈ જઈને તેને ધક્કો મારી દીધો હતો જે પછી 4 દિવસ બાદ અંકિતાની લાશ મળી આવી હતી અને આખો કેસનો ખુલાસો થયો હતો.
પાર્ટીઓમાં હરણનું માંસ પીરસાતું હતું
પુલકિત આર્યના રિસોર્ટમાં હરણ અને અન્ય જંગલી પ્રાણીઓનો શિકાર કરીને પાર્ટીઓમાં માંસ પીરસવામાં આવતું હોવાનું સામે આવ્યું છે જંગલી પશુઓના શિંગડામાંથી ભસ્મ બનાવાતી હતી. આ પછી વન વિભાગે પણ તેની સામે કાર્યવાહી કરી છે.
શું હતો સપ્ટેમ્બર 2022નો ચકચારી કેસ
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યામકેશ્વરમાં આવેલા ખાનગી રિસોર્ટ વનંતરામાં 19 વર્ષની અંકિતા ભંડારી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. અંકિતા 18-19 સપ્ટેમ્બર દરમિયાન ગુમ હતી. તે છેલ્લે કેનાલની આજુબાજુ જોવામાં આવી હતી આથી પોલીસ અને એસડીઆરએફની ટીમોએ સર્ચ ઓપરેશન કરીને તેની લાશ શોધી કાઢી હતી. ત્યાર બાદની તપાસમાં ખુલાસા થયાં હતા કે રિસોર્ટ માલિક અંકિતા પાસે વૈશ્યાવૃતિ કરાવવા માગતો હતો પરંતુ અંકિતાએ તેની ના પાડી હતી આથી તેણે દોસ્તો સાથે મળીને તેની પર રેપ કર્યો હતો અને વૈશ્યાવૃતિની ના પાડતાં અંકિતાને કેનાલમાં ધક્કો મારીને હત્યા કરી નાખી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime