બ્રેકિંગ ન્યુઝ
KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત
કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
Last Updated: 12:11 PM, 1 May 2024
દીકરી દરેક પિતાને વ્હાલી હોય છે. અને એ દીકરી પર જ્યારે દુઃખ આવી પડે ત્યારે પિતાનાં દીલને ઠેક પહોંચે છે. આવા જ એક પિતા જેમણે દીકરીનાં દુઃખને પોતાનું દુઃખ બનાવી લીધું. અને જે દીકરીની ધામધૂમથી વિદાય કરી હતી. એ જ દીકરીને સાસરીયામાંથી ધામધૂમથી પરત લઈ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
લગ્ન બાદ દીકરીઓની વિદાય ધામધૂમથી થતી જોઈ હશે. પણ કાનપુરમાં એક પિતા દ્વારા તેની દીકરેની ઢોલ નગારા સાથે ઉત્સાહથી પરત લઈ ગયા હતા. પરંતું અહીં મામલો કંઈક અલગ છે. આ નગારા કોઈ ખુશીના કારણે નથી વાગી રહ્યા. પણ અહીં તલાક બાદ પોતાની દીકરીને ઘરે લઈ જતા સમયે એક પિતાએ વગડાવ્યા હતા. ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં પોતાની દીકરીને તલાક અપાવ્યા બાદ તેનાં પરિવારજનો દીકરીના સાસરીમાં ગયા હતા. અને ત્યાં ઢોલ વગાડીને વિદાઈ કરાવવામાં આવી હતી. સાથે જ લગ્ન સમયે જે ચુંદડી ઓઢીને દીકરી સાસરીમાં ગઈ હતી. એ ચુંદડીને સાસરીયાનાં ઘરનાં ગેટ પર બાંધી દીધી હતી. કાનપુરનો આ મામલો હવે ચારેય તરફ ચર્ચાનો વિષય બન્યો છે.
કાનપુર શહેરનાં નિરાલાનગરમાં રહેનારા અનિલ બીએસએનએલમાં કામ કરતા હતા. પણ હવે નિવૃત થઈ ચૂક્યા છે. અનિલે પોતાની દીકરી ઉર્વીનાં લગ્ન શહેરનાં ચકેરી વિમાનનગરમાં તા. 31 જાન્યુઆરી 2016 માં આશિષ રંજન સાથે ધામધૂમથી કર્યા હતા. દીકરી ઉર્વી પાલમ એરપોર્ટમાં કામ કરતી હતી. ઉર્વી એન્જિનિયર છે. અને તેનો પતિ આશિષ પણ એન્જિનિયર છે. બંને દિલ્લીમાં નોકરી કરતા હતા. લગ્ન બાદ બંને દિલ્લીમાં રહેતા હતા.
જોકે લગ્ન બાદ સાસરીયાઓએ વધારાનાં દહેજની માંગ કરી હતી. અને દીકરીનાં રંગરૂપ અંગે ખરી ખોટી સંભળાવતા હતા. જ્યારે ઉર્વીનાં ઘરે દીકરીનો જન્મ થયો તો સાસરીયાએ હેરાનગતિ વધારી દીધી હતી. 8 વર્ષ બાદ પણ સાસરીયા ન સુધરતા દીકરીનાં પિતાએ છૂટાછેડા લેડવાવવાનો નિર્ણય કર્યો હતો. અને તલાક બાદ દીકરીને સાસરીયાથી ઢોલ નગારા સાથે પોતાનાં ઘરે લઈને આવ્યા હતા.
પિતાનાં મતે જે દીકરીને વહુ બનાવીને સાસરીમાં મોકલી હતી. તેને ફરી દીકરી બનાવીને ઘરે લઈ આવ્યા છે. પિતાનાં મતે એ દીકરી અને પૌત્રીની જવાબદારી ખુદ ઉપાડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT