બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / When to establish Kalash in Chaitri Navratri? Know the auspicious muhurat and rituals

ધર્મ / ચૈત્રી નવરાત્રીમાં ક્યારે કરવી કળશ સ્થાપના? જાણો શુભ મુહુર્ત અને વિધિ

Vishal Dave

Last Updated: 11:19 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્રી નવરાત્રીમાં કળશ સ્થાપન કરી માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા થાય છે. આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે, માટે તમારે પણ કળશ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે જાણવું જોઈએ

આજથી એટલે કે 9 એપ્રિલે 2024થી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે. આ નવરાત્રીમાં દુર્ગા માતાના 9 સ્વરૂપોની પૂજાનો મહિમા છે. આ વર્ષની નવરાત્રી મંગળવારથી શરૂ થતી હોવાથી દુર્ગા માતા અશ્વ પર સવાર થઈને આવશે. ચૈત્રી નવરાત્રીના એકમે કળશ સ્થાપના કરવામાં આવે છે. જેથી અહીં તમને આ નવરાત્રીમાં કળશ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે માહિતી આપીશું.

કળશ સ્થાપનાનું મુહૂર્ત 

આજે કળશ સ્થાપન કરવું. આજે બે શુભ મુહૂર્ત છે. જેમાં પહેલુ મુહૂર્ત સવારે 6:02 મીનિટથી લઈને 10:16 મીનીટ સુધીનું છે. જ્યારે બીજું શુભ મુહૂર્ત 11:57 થી 12:48 મીનીટ સુધીનું છે. ઉલ્લેખનીય છે કે, આ ચૈત્રી નવરાત્રીની એકમ 8 એપ્રિલના રાતે 11:50 વાગ્યાથી શરૂ થાય છે અને 9મી એપ્રિલે સાંજે 8:30 વાગે પૂર્ણ થાય છે.

આ રીતે કરવી કળશ સ્થાપના

-શૂભ મુહૂર્તમાં ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખુણામાં કળશ સ્થાપના કરો

-જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય તે સ્થળને સાફ કરી ગંગાજળ છાંટો

-પૂજા સ્થળે લાલ કપડુ બિછાવી અક્ષષ અષ્ટદલ બનાવી દુર્ગા માતાની તસ્વીરની સ્થાપના કરો

 -કળશમાં પાણી,ગંગાજળ, રૂપિયાનો સિક્કો, દૂર્વા ઘાસ, હળદરની ગાંઠ, સોપારી રાખો

-કળશ પર 5 કેરીના પત્તા રાખી તેને શ્રીફળથી ઢાંકી દો

-એક વાસણમાં માટી નાખી તેમાં જવ વાવી તેને કળશની પાસે રાખી દો

-દીવો કરી દુર્ગા માતા, ગણપતિ અને નવગ્રહનું આહવાહન કરો

-નવ દિવસ સુધી સવાર-સાંજ માતાની આરતી કરી 'या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:' ના મંત્રનો ઝાપ કરો.

આ પણ વાંચોઃ તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો નવરાત્રિ દરમિયાન રાખજો આ બાબતોનું ધ્યાન, સુખ અને સમૃદ્ધિની થશે પ્રાપ્તિ

-નવ દિવસે નવ અલગ અલગ સ્વરૂપોની થશે પૂજા

09 એપ્રિલ 2024 -     શૈલપુત્રી સ્વરૂપની થશે પૂજા

10 એપ્રિલ 2024 - બ્રહ્મચારિણી સ્વરૂપની થશે પૂજા

11 એપ્રિલ 2024 - ચંદ્રઘંટા સ્વરૂપની થશે પૂજા

12 એપ્રિલ 2024 - કુષ્માંડા સ્વરૂપની થશે પૂજા

13 એપ્રિલ 2024 - સ્કંદમાતા સ્વરૂપની થશે પૂજા

14 એપ્રિલ 2024 - કાત્યાયની સ્વરૂપની થશે પૂજા

15 એપ્રિલ 2024 - કાલરાત્રિ સ્વરૂપની થશે પૂજા

16 એપ્રિલ 2024 - મહાષ્ટમી,મહાગૌરી સ્વરૂપની થશે પૂજા

17 એપ્રિલ 2024 - મહાનવમી, સિદ્ધિદાત્રિ સ્વરૂપની થશે પૂજા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ