બ્રેકિંગ ન્યુઝ
VTV / when schools will open decision
Last Updated: 11:35 PM, 13 August 2020
ADVERTISEMENT
ખાસ કરીને પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવાની યોજના શું છે તે અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે જણાવ્યું હતું કે, "અનલોક 3 ની માર્ગદર્શિકા હેઠળ ગૃહ મંત્રાલયે 31 ઓગસ્ટ સુધીમાં શાળાઓ, કોલેજો અને તમામ કોચિંગ સંસ્થાઓને બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આગામી સમયમાં ગૃહ મંત્રાલયની જે પણ માર્ગદર્શિકા આવશે તે મુજબ અમે નિર્ણય લઈશું. "
શિક્ષણ મંત્રી શાળા-કોલેજ નહીં ખોલવા રાજ્યોને કરી અપીલ
ADVERTISEMENT
પેરેન્ટ જૂથોએ પ્રધાનમંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને હાલમાં શાળાઓ ન ખોલવા અપીલ કરી છે. બીજી તરફ, દિલ્હી સરકાર ઈચ્છે છે કે શાળાઓ વહેલી તકે ખોલવામાં આવે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓએ શાળાએ જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ ફક્ત શાળાએ જ કરી શકાય છે.
હાલમાં, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દેશભરની તમામ શાળાઓ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. તેથી, શાળા ખોલવા અંગેનો કોઈપણ નવો નિર્ણય સપ્ટેમ્બર મહિના દરમિયાન જ લઈ શકાય છે.
1 સપ્ટેમ્બરથી શાળાઓ શરૂ થવાનો વાયરલ થયો મેસેજને લઇને ખુલાસો
A news agency has reported that the Central Government has decided to not re-open schools until December.#PIBFactCheck: Government has not made any such decision.#FakeNews pic.twitter.com/az7JDcOmWn
— PIB Fact Check (@PIBFactCheck) August 13, 2020
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયેલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, પહેલી સપ્ટેમ્બરથી શાળાઓ ખુલી રહી છે. જો કે, કેન્દ્ર સરકારે આ અંગે ખુલાસો કર્યો હતો કે, ડિસેમ્બર મહિના સુધી શાળાઓ ખોલવાનો કોઇ જ ઇરાદો નથી. આ અંગે સરકારી ન્યૂઝ એજન્સીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સરકાર હાલ અંગેનો કોઇ જ નિર્ણય લીધેલ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.