બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Manisha Jogi
Last Updated: 09:44 PM, 9 January 2024
ઘણી વાર જોયું હશે કે, કોઈ વ્યક્તિ સાધારણ પરિવારમાં જન્મ લે છે, પરંતુ સફળતાના શિખર સર કરી જાય છે. ઉપરાંત ગ્રહ પણ ખૂબ જ સાથ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અનેક વ્યક્તિઓની કુંડળીમાં રાજયોગ લખેલો હોય છે. ગ્રહોની યુતિની મદદથી આ રાજયોગનું નિર્માણ થાય છે. તે સમયે વ્યક્તિને રાજયોગનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શશ, રૂચક, માલવ્યા, ભદ્ર, બુધાદિત્ય, ગજકેસરી, ગજલક્ષ્મી અને મહાભાગ્ય રાજયોગનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. જે વ્યક્તિની કુંડળીમાં મહાભાગ્ય રાજયોગ હોય છે, તે વ્યક્તિનો જન્મ સાધારણ પરિવારમાં થાય તો પણ તે અમીર બની જાય છે. આ વ્યક્તિ ભૌતિક સુખ સુવિધાનો લાભ પ્રાપ્ત થાય છે અને ધનવાન બને છે. કુંડળીમાં આ રાજયોગનું નિર્માણ કેવી રીતે થાય છે અને તેનાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
કુંડળીમાં મહાભાગ્ય રાજયોગનું નિર્માણ
વૈદિક જ્યોતિષ અનુસાર સ્ત્રી અને પુરુષ માટે મહાભાગ્ય યોગનું નિર્માણ થવાના નિયમ અલગ અલગ હોય છે. પુરુષ અને સ્ત્રીઓની કુંડળીમાં અલગ અલગ ગ્રહોની સ્થિતિના કારણે રાજયોગનું નિર્માણ થાય છે. આ યોગનું નિર્માણ થવા માટે ચાર પરિસ્થિતિને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ધન અને સંપત્તિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુરુષનો દિવસે જન્મ થયો હોય, જન્મકુંડળીમાં લગ્ન પહેલા સ્થાને હોય, સૂર્ય અને ચંદ્ર વિષમ રાશિમાં (મેષ, મિથુન, સિંહ) હોય તો મહાભાગ્ય યોગનું નિર્માણ થાય છે. આ પ્રકારની વ્યક્તિ રાજાઓ જેવું જીવન જીવે છે, ઉપરાંત સન્માનનીય પદ પ્રાપ્ત થાય છે. સમાજમાં માન, સમ્માન, પ્રતિષ્ઠા અને પદ પ્રાપ્તિ થાય છે. આ વ્યક્તિ અનેક ધન સંપત્તિનો માલિક હોય છે. આ વ્યક્તિ ખૂબ જ લોકપ્રિય બને છે. કોઈ સ્ત્રીની કુંડળીમાં આ યોગ હોય તો સાસરીમાં અનેક સુખ પ્રાપ્ત થાય છે. સમાજમાં એક અલગ ઓળખ બનાવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime