બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / what happens to your body if you eat an orange every day during winters
Vikram Mehta
Last Updated: 02:32 PM, 27 November 2023
ADVERTISEMENT
શિયાળામાં દિવસો ટૂંકા હોય છે. ઠંડા પવન ફૂંકાવાને કારણે આ ઋતુમાં ખાવાપીવાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શિયાળામાં મોસમી ફળો ખાવા જોઈએ. જો તમે શિયાળામાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માંગો છો અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી હોય તો દરરોજ એક સંતરુ જરૂરથી ખાવું જોઈએ.
સંતરાના ફાયદા
સંતરામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. શરીર માટે સંતરાખૂબ જ ફાયદાકારક છે. સંતરામાં તમામ પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે.સંતરાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત થાય છે. શરદી અને ફ્લૂથી સામે રક્ષણ આપે છે. સંતરામાં ફ્લેવોનોઇડ્સ અને કેરોટીનોઇડ્સ સહિત અન્ય એન્ટીઓકિસડેન્ટ રહેલા છે. ઓક્સિડેટીવથી તણાવ દૂર થાય છે. એન્ટીઓકિસડેન્ટથી ભરપૂર સંતરા જૂની બિમારીઓ દૂર કરવા માટે અસરકારક છે. સંતરામાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, આ કારણોસર શિયાળામાં દરરોજ સંતરા ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. ડાયાબિટીસના દર્દીઓને સંતરાથી ખૂબ જ લાભ થાય છે.
ADVERTISEMENT
શું શિયાળામાં સંતરા ખાવાથી નુકસાન થાય છે?
સંતરામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા છે. સાઈટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ.
કોણે સંતરા ના ખાવા જોઈએ?
જે લોકોને કિડની અને લીવરની બિમારી હોય તેમણે સંતરા ના ખાવા જોઈએ. સંતરામાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. સાઈટ્રસ એલર્જી હોય તેમણે દરરોજ સંતરા ખાવા જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.