બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / ચૂંટણી 2019 / અન્ય જિલ્લા / What did the police or shankar chaudhary's supporters fiasco
Last Updated: 06:43 PM, 2 October 2019
ADVERTISEMENT
રાધનપુર વિધાનસભા બેઠક પર ભાજપે અલ્પેશ ઠાકોરની શક્યતા વધારે હોઇ શંકર ચૌધરીને થરાદ બેઠકની આશા સેવી હતી. જોકે શંકર ચૌધરીને એક પણ બેઠક પરથી ટિકિટ મળી ન હોવાથી તેઓ હતાશ થયાં હતાં. ત્યારે હવે ભાજપમાં આંતરિક વિખવાદ સર્જાયો છે. જેને પગલે થરાદનાં આસોદર ગામે શંકર ચૌધરીનાં સમર્થનમાં નોટામાં વોટ કરવા માટે સભા બોલાવી હતી. જોકે આ સભાનો ફિયાસકો થયો છે. આસોદર ગામની ગૌશાળામાં વગર મંજૂરીએ 300 જેટલાં યુવકો ભેગાં થતાં પોલીસ અને આચારસંહિતા અમલીકરણનાં અધિકારીઓએ સ્થળ પર પહોંચીને મિટિંગને રોકાવી હતી.
સમર્થકોએ ફેરવી તોડ્યું
પોલીસ અને અધિકારીઓની ટીમને જોઈ ભેગા થયેલા યુવકોએ નોટા બાબતે ફેરવી તોળ્યુ હતું કે અમે કોઈને બોલાવ્યા નથી. તેમજ આ અંગે લેખિતમાં આપ્યુ હતું. ત્યારે યુવાનોએ કહ્યું હતું કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ પણ ભાજપે યુવા નેતાને ટિકિટ ન આપતા અમે નારાજ થયા છીએ.
ADVERTISEMENT
ક્યારે થશે મતદાન
ગુજરાતની પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 24 ઓક્ટોબરે મતગણતરી થવાની છે. ત્યારે ગુજરાતની 6 બેઠકો પરના ભાજપના ઉમેદવારોની જાહેરાત થઇ ચૂકી છે. ગુજરાતની આ 6 બેઠકો પરના લોકોને જેની રાહ હતી તે ઉમેદવારોની યાદી જાહેર થઇ ચૂકી છે અને તેઓએ ફોર્મ પણ ભરી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.