ગુજરાતની પેટા ચૂંટણીમાં શંકર ચૌધરીને ટિકિટ ન મળતા તેમના સમર્થકોએ થરાદનાં આસોદર ગામે શંકર ચૌધરીનાં સમર્થનમાં નોટામાં વોટ કરવા માટે સભા બોલાવી હતી. જોકે આ સભાનો ફિયાસકો થયો છે. ગુજરાતની પેટા ચૂંટણીમાં શંકર ચૌધરીને એક પણ બેઠક પરથી ટિકિટ ન મળતા તેમના સમર્થકો નારાજ થયા હતા. જેને પગલે તેઓ ચૂંટણીમાં નોટા પર વધારે ભાર મુકી રહ્યાં છે.
શંકર ચૌધરીના સમર્થનમાં નોટામાં વોટ કરવા બોલવાયેલી સભાનો ફિયાસકો
શંકર ચૌધરીને ટિકિટના મળતાં સમર્થકો છે નારાજ..
પોલીસ અને આચારસંહિતા અમલીકરણના અધિકારીઓએ પહોંચીને મિટિંગને રોકાવી
રાધનપુર વિધાનસભા બેઠક પર ભાજપે અલ્પેશ ઠાકોરની શક્યતા વધારે હોઇ શંકર ચૌધરીને થરાદ બેઠકની આશા સેવી હતી. જોકે શંકર ચૌધરીને એક પણ બેઠક પરથી ટિકિટ મળી ન હોવાથી તેઓ હતાશ થયાં હતાં. ત્યારે હવે ભાજપમાં આંતરિક વિખવાદ સર્જાયો છે. જેને પગલે થરાદનાં આસોદર ગામે શંકર ચૌધરીનાં સમર્થનમાં નોટામાં વોટ કરવા માટે સભા બોલાવી હતી. જોકે આ સભાનો ફિયાસકો થયો છે. આસોદર ગામની ગૌશાળામાં વગર મંજૂરીએ 300 જેટલાં યુવકો ભેગાં થતાં પોલીસ અને આચારસંહિતા અમલીકરણનાં અધિકારીઓએ સ્થળ પર પહોંચીને મિટિંગને રોકાવી હતી.
સમર્થકોએ ફેરવી તોડ્યું
પોલીસ અને અધિકારીઓની ટીમને જોઈ ભેગા થયેલા યુવકોએ નોટા બાબતે ફેરવી તોળ્યુ હતું કે અમે કોઈને બોલાવ્યા નથી. તેમજ આ અંગે લેખિતમાં આપ્યુ હતું. ત્યારે યુવાનોએ કહ્યું હતું કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ પણ ભાજપે યુવા નેતાને ટિકિટ ન આપતા અમે નારાજ થયા છીએ.
ક્યારે થશે મતદાન
ગુજરાતની પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને 24 ઓક્ટોબરે મતગણતરી થવાની છે. ત્યારે ગુજરાતની 6 બેઠકો પરના ભાજપના ઉમેદવારોની જાહેરાત થઇ ચૂકી છે. ગુજરાતની આ 6 બેઠકો પરના લોકોને જેની રાહ હતી તે ઉમેદવારોની યાદી જાહેર થઇ ચૂકી છે અને તેઓએ ફોર્મ પણ ભરી દીધા છે.