બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / મનોરંજન / બોલિવૂડ / Was Sridevi pregnant before marriage? Boney Kapoor made a shocking revelation after 26 years
Megha
Last Updated: 01:11 PM, 3 October 2023
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીએ વર્ષો પહેલા આ દુનિયાને અલવિદા કહી દીધું હતું પરંતુ શ્રીદેવી આજે પણ તેના ચાહકોના દિલમાં જીવે છે. શ્રીદેવીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેની ફિલ્મો કરતાં તેનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહે છે. શ્રીદેવી સૌથી વધુ સમાચારોમાં ત્યારે આવી જ્યારે તેનું પરિણીત બોની કપૂર સાથે અફેર શરૂ થયું.
શું શ્રીદેવી લગ્ન પહેલા ગર્ભવતી હતી?
આ અફેર પછી બંનેએ લગ્ન કરી લીધા. આના થોડા સમય બાદ જ્હાન્વી કપૂરનો જન્મ થયો હતો. જે બાદ ઘણા સવાલો ઉભા થયા હતા કે બોની કપૂર સાથે લગ્ન કરતા પહેલા જ શ્રીદેવી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. હવે બોની કપૂરે ઘણા વર્ષો પછી આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. બોની કપૂરે એ આરોપોને નકારી કાઢ્યા છે કે લગ્ન પહેલા જ શ્રીદેવી જ્હાન્વી કપૂર સાથે પ્રેગ્નન્ટ હતી. સાથે જ અભિનેત્રીના મૃત્યુ અંગે પણ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે તો ચાલો જાણીએ નિર્દેશક અને ફિલ્મ નિર્માતા બોની કપૂરે શું કહ્યું.
બોની કપૂરનો ચોંકાવનારો ખુલાસો
બોની કપૂર અને શ્રીદેવીની લવ સ્ટોરીની ખૂબ ચર્ચા થઈ હતી. આ બંનેના અફેરે બધાને ચોંકાવી દીધા હતા. કારણ કે જ્યારે તેમની લવ સ્ટોરી શરૂ થઈ ત્યારે બોની કપૂરે લગ્ન કર્યા હતા. પરંતુ આ પછી પણ બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કર્યા અને લગ્નના થોડા મહિના પછી અભિનેત્રી માતા બની. આ અંગે અનેક સવાલો ઉભા થયા હતા.
જૂન 1996માં અમે બંનેએ શિરડીમાં લગ્ન કર્યા હતા
બોની કપૂરે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે . તેણે કહ્યું કે 'શ્રીદેવી લગ્ન પછી જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. અમે બંનેએ જૂન 1996માં લગ્ન કર્યા. અમારા બંનેના આ લગ્ન શિરડીમાં થયા હતા. પરંતુ જાન્યુઆરી 1997માં જ્યારે શ્રીદેવીની પ્રેગ્નન્સી દેખાઈ ત્યારે અમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો, તેથી અમે દુનિયાની સામે સાત ફેરા લીધા. બોની કપૂરના આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે શ્રીદેવી લગ્ન પછી જ પ્રેગ્નન્ટ થઈ હતી. આ જ કારણ છે કે ઘણા લોકો માને છે કે લગ્ન પહેલા જ શ્રીદેવી જ્હાન્વીથી પ્રેગ્નન્ટ હતી. જ્યારે એવું નહોતું, એ સમયે અમારા લગ્ન થઈ ગયા હતા. ' જણાવી દઈએ કે 6 માર્ચ, 1997ના રોજ જ્હાન્વી કપૂરનો જન્મ થયો અને બોની-શ્રીદેવી પહેલીવાર પેરેન્ટ્સ બન્યા હતા.
શ્રીદેવીના મૃત્યુ બાદ પણ સવાલો ઉભા થયા હતા
શ્રીદેવીના મૃત્યુ બાદ પણ બોની કપૂર પર અનેક સવાલો ઉભા થયા હતા. જે બાદ બોની કપૂરને ઘણી તપાસનો સામનો કરવો પડ્યો હતો. આ ઈન્ટરવ્યુ દરમિયાન બોની કપૂરે પણ આ મુદ્દે વાત કરી હતી. તેણે કહ્યું કે શ્રીદેવીનું મૃત્યુ એક અકસ્માત હતો. પરંતુ આ પછી પણ મને આ વિશે ઘણી પૂછપરછ કરવામાં આવી હતી. મારો લઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે પણ કબૂલ્યું હતું કે મારી ભૂલ નથી, શ્રીદેવીનું મૃત્યુ અકસ્માતને કારણે થયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime