બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત કે જે દરેક વાતમાં પોતાનો મત આપવા માટે જાણીતી છે તે પોતાની આ આદતને લીધે કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. તેના વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે.
બેબાકીને લીધે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે
તેની વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું
જાવેદ અખ્તરે કંગના રાનૌત પર માનહાનીનો દાવો માંડ્યો
સોશિયલ મીડિયા પર ખૂબ મત રજૂ કરે છે કંગના
પોતાનો જુદોજ મત રાખનારી બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌતે એક સમયે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર બધા નવરા લોકો જ રહેતા હોય છે. પણ આજે એવુ જોવા મળી રહ્યું છે કે દેશ દુનિયાનાં કોઈ પણ મુદ્દે કંગના સોશિયલ મીડિયા પર પોતાનો મત રજૂ કર્યાં વગર રહેતી જ નથી. હવે તેને તેની આ બેબાકીને લીધે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેની વિરુદ્ધ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
Mumbai: Metropolitan Magistrate Court, Andheri issues a bailable warrant against actor Kangana Ranaut in a defamation case filed against her by lyricist Javed Akhtar. Court issues the warrant after she failed to appear before it despite being summoned. pic.twitter.com/YAGBa8dvJK
કંગનાને સમન પાઠવ્યા હતા તેમ છતાં તે કોર્ટમાં હાજર નહોતી રહી
બોલિવૂડનાં ગીતકાર જાવેદ અખ્તરે કંગના રાનૌત પર માનહાનીનો દાવો માંડ્યો છે. એએનઆઈએ એક ટ્વીટ કરીને આ વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે કે, અંધેરીનાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે એક્ટ્રેસ વિરુદ્ધ બેલેબલ વોરંટ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે આ કેસ માટે કંગનાને સમન પાઠવ્યા હતા તેમ છતાં તે કોર્ટમાં હાજર નહોતી રહી માટે તેના પર વોરંટ જાહેર કરાયો છે.
કોઈ આધાર વગર ખોટુ નિવેદન આપી દીધુ
થોડા સમય પહેલા મુંબઈ પોલીસે એક રિપોર્ટ દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કંગનાની વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ બોલિવૂડનાં ગીતકાર જાવેદ અખ્તરે દાખલ કર્યો હતો. જેમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે કંગનાએ તેમનાં અંગે કોઈ આધાર વગર ખોટુ નિવેદન આપી દીધુ છે અને તેનાંથી તેમની ઈમેજ ખરાબ થઈ છે.