બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:53 PM, 13 October 2025
મથુરા-વૃંદાવનના સંત પ્રેમાનંદ જી મહારાજ હાલમાં સ્વાસ્થ્ય કારણોસર બીમાર છે. સમગ્ર દેશમાંથી તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થનાઓ થઈ રહી છે. એ વચ્ચે મદીનાના એક યુવાન સુફિયાન અલ્હાબાદીએ પણ મહારાજના આરોગ્ય માટે પ્રાર્થના કરી છે. આ સમાચાર બહાર આવતા સોશિયલ મીડિયામાં સુફિયાનનું નામ ચર્ચામાં આવી ગયું છે.
ADVERTISEMENT

સુફિયાનનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે મદીના શરીફના પવિત્ર સ્થળેથી પ્રેમાનંદ મહારાજના આરોગ્ય માટે દુઆ (પ્રાર્થના) કરે છે. આ માનવતાભર્યો હાવભાવ અનેક લોકોના દિલને સ્પર્શી ગયો. પરંતુ સાથે જ કેટલાક કટ્ટરપંથી તત્વોએ સુફિયાનને ધમકીઓ આપી છે, જેને કારણે આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે.
ADVERTISEMENT
Muslim youth Sufiyan from Prayagraj prays for Premanand Ji Maharaj’s health in Madinah 🙏 pic.twitter.com/OyoNlzwt79
— NewsBite (@newsbite_in) October 13, 2025
આ મુદ્દે અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું, “ઇસ્લામ સહિષ્ણુતા અને માનવતાનો ધર્મ છે. સુફિયાનએ જે કર્યું તે ઇસ્લામિક મૂલ્યો મુજબ છે.” તેમણે પોતાના નિવેદનમાં ઉમેર્યું કે તેઓ પણ પ્રેમાનંદ મહારાજના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે.
ADVERTISEMENT

મૌલાના રઝવીએ આગળ કહ્યું કે, “સુફિયાને મદીના શરીફના પવિત્ર સ્થળથી હિંદુ સંત માટે પ્રાર્થના કરી, તે માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. આવી પહેલ ધર્મો વચ્ચેના ભાઈચારાને મજબૂત બનાવે છે.”
ADVERTISEMENT
આ પણ વાંચો : કિશોરીએ કેબ કરી ડ્રાઇવરે વ્હોટ્સએપમાં એવું કર્યું કે યુવતીનાં છક્કા છુટી ગયા
જ્યારે એક બાજુ સુફિયાનને ધમકીઓ મળી રહી છે, ત્યારે બીજી બાજુ હજારો લોકો તેના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ધાર્મિક સહિષ્ણુતા અને માનવ એકતાનું પ્રતીક ગણાવી રહ્યા છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.