બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Velan village of Gir Somnath is an example of communal unity
Dinesh
Last Updated: 09:16 PM, 8 October 2023
માઁ ભગવતીના આરાધના પર્વને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં અનોખું કોમી એકાતનું પ્રતીક દેવસ્થાનો વિશે જાણવા મળ્યું છે. વેલણ ગામના વાડી વિસ્તારમાં આવેલા સોડવ માતાજીનું મંદિર શક્તિનું પ્રતિક ગણાય છે. આ મંદિર અને તેનાથી એકાદ કિલો મીટર દૂર આવેલી જન્નશાપીરની દરગાહ હિન્દૂ- મુસ્લિમ કોમી એકતાનું સૌથી મોટું પ્રતીક છે. આ બન્ને ધર્મ સ્થાનકો માટે હિન્દૂ અને મુસ્લિમ સમાજ સંપૂર્ણ શ્રધ્ધા ધરાવે છે. હિન્દુ સમાજની કોઈ પણ વ્યક્તિ કોઈ માનતા કે નિવેદ લઈને સોડવ માતાજીએ આવે તો પહેલા જન્નશાપીર બાબાની દરગાહે શ્રીફળ અને ચાદર ચડાવવા જવું પડે અને મુસ્લિમ લોકો જન્નશાપીરની કોઈ માનતા લઈને આવે તો પહેલા સોડવ માતાજીએ ખીર-રોટલી, ચૂંદડી અને શ્રીફળ અર્પણ અવશ્ય કરવા માતાજી આવે છે.
કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ
વેલણ ગામની સીમ વિસ્તારમાં આવેલું સોડવ માતાજીનું મંદિર અને જન્નશાપીરની દરગાહ ખૂબ નજીક આવેલા છે. આ દેવસ્થાનો સાથે એનોખી કહાણી પણ જોડાયેલી છે. એક સમયે માતાજી ગાયો અને તેમના વાછરડા ચરાવતા હોઈ અને ત્યાં બાજુમાં દરિયાઈ માર્ગે એક પથ્થર પર પાંચ ભાઈઓ આવ્યા અને તે જે ભાઈઓ આવ્યા તે આજે જન્નશાપીર તરીકે ઓળખાય છે. આ પાંચેય ભાઈઓને માતાજી ગાયોનું દૂધ આપતા અને રાખડી બાંધી હોવાની લોક માન્યાતા છે. આ પાંચેય ભાઈઓ પણ માતાજીને સગ્ગી બહેન તરીકે જ માનતા હતા. કહેવાય છે કે તત્કાલીન સમયે કેટલાક લોકો આ પવિત્ર સંબંધને ખરાબ દ્રષ્ટીથી જોતા માતાજીએ તે જ જગ્યા પર ધરતી માતાની ગોદમાં સમાઈ ગયા હતા ત્યારબાદ જન્નશાપીર એટલે કે તે પાંચ ભાઈઓને જાણ થઈ એટલે તેઓ પણ ત્યાંજ ધરતીમાં સમાઈ ગયા હતા તેવી લોક વાયકા છે.
ભક્તોની જામે છે ભીડ
આ પવિત્ર દેવસ્થાનો પર ચૈત્ર, આસો, શ્રાવણ અને રમજાન મહિનામાં લોકોની સતત ભીડ જોવા મળે છે. મુસ્લિમ લોકોનું ઉર્ષ કે ઇદ હોય તો તેઓ પહેલા સોડવ માતાજીના મંદિરે ખીરપુરી, ચુંદડી અને શ્રીફળ લઈ આવે છે. ત્યારે આ મંદિર અને દરગાહ સમગ્ર હિન્દૂ અને મુસ્લિમ સમાજ માટે કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime