બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દશેરાના દિવસે ગુજરાતમાં અધધધ 3300 કરોડ રૂપિયાના વાહનો વેચાયા
Last Updated: 05:59 PM, 2 October 2025
Ahmedabad News : સામાન્ય રીતે દશેરાના તહેવારનાં દિવસે લોકો નવા વાહનની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે.. એેમાં પણ આ વર્ષે તો સોને પે સુહાગા, GST ઘટતા બાઈકમાં 10 હજાર અને કારમાં 1 લાખ આસપાસ ફાયદો થઈ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં 44 હજાર ટુ વ્હીલર અને 10 હજાર કારનું વેચાણ થયું હતું. એમાંથી 6 હજાર ટુ વ્હીલર અને 2400 કારનું વેચાણ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયું હતું. નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતભરમાં અધધધ 3300 કરોડના વાહનોનું વેચાણ થયું છે. GST ઘટતા વેપારીઓ અને ગ્રાહકોમાં બંને પક્ષે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સેંકડો લોકો દશેરાની રાહ જોતા હોય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, દશેરાને વાહન ખરીદી માટે પવિત્ર માનવામાં આવે છે. આ શુભ પ્રસંગે લોકો વાહન ખરીદવા માટે રાહ જોતા હોય છે. દશેરાનો તહેવાર કોઇ પણ શુભ કાર્ય અને નવી ખરીદી માટે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે ખરીદી માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરીએ અનુસાર વર્ષ 2025 માં દશેરા ક્યારે છે અને વાહન ખરીદી માટેનો સૌથી શુભ સમયગાળો માનવામાં આવે છે.
ADVERTISEMENT
ગુજરાત ભાજપ નવા પ્રદેશ પ્રમુખની રેસમાં 6 નામો હોટ ફેવરિટ, ત્રણ નામોએ ચોંકાવ્યા
આ વખતે દશેરામાં હતા અનેક સંયોગ
ADVERTISEMENT
જ્યોતિષીય ગણતરી અનુસાર આ શુભ સમય દરમિયાન દશમી અને એકાદશી તિથિનો સમન્વય રહેવાથી દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. આ દિવસે વાહન ખરીદી અને વિધિવત પૂજા કરવી ખુબ જ ફાયદાકારક અને શુભ સમૃદ્ધિકારક માનવામાં આવે છે. આ મુહૂર્તમાં કરેલી ખરીદી લાંબા સમય સુધી લાભ આપનારી નિવડે છે. જેથી લોકો દશેરાના દિવસે ખાસ વાહનોની ખરીદી કરતા હોય છે. આ વખતે સરકાર દ્વારા જીએસટીમાં રાહત આપવાનાં કારણે વિવિધ ગાડીઓમાં 1 લાખથી 4 લાખ રૂપિયા સુધીનો ફાયદો થઇ રહ્યો છે. જેનાં કારણે લોકો ગાડીની ખરીદીમાં રસ દેખાડી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.