બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 01:02 PM, 21 October 2025
1/6
પૈસાની જરૂર દરેકને હોય છે એટલા માટે દરેક સારુ કમાવાનું અને વધારે બચાવવાનું પસંદ કરે છે, પણ ઘણી વાર વધારે કમાવા છતા ઘણા લોકોના ઘરમાં પૈસા ટકતા નથી આવં વાસ્તુ દોષ થવાને લીધે પણ થાય છે. આ દોષના કારણે ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ વધી જાય છે. પણ વાસ્તુ શાસ્ત્રમાં આને ઉપાય જણાવવામાં આવ્યા છે.
2/6
વાસ્તુ શાસ્ત્રમાં ઘર કે દુકાનની દિવાલ પર ગંદકી નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જ્યાં મેલ અને અવ્યવસ્થા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોતો નથી. એટલા માટે દિવાલોની સાફ સફાઈનું પણ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશાની દિવાલ સાફ રાખો. આ દિશા કુબેર અને વિષ્ણુ સાથે જોડાયેલી છે. જો દિવાલમાં તિરાડ જોવા મળે તો સમારકામ કરાવો.
3/6
કરોળિયાના જાળા સામાન્ય લાગે છે, પરંતુ વાસ્તુ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી, તે સંપત્તિ અને તકોમાં અવરોધો ઉભા કરે છે. વાસ્તુ અનુસાર કરોળિયાના જાળા ઘરમાંથી સકારાત્મક ઉર્જાને અવરોધે છે. તેથી અઠવાડિયામાં એકવાર ખૂણા, છત અને ફર્નિચરની પાછળના ભાગને સાફ કરો. જો શક્ય હોય તો સફાઈ કર્યા પછી કપૂર બાળો.આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઓછી થાય છે.
4/6
સુકા છોડના પાંદડા આળસની નિશાની છે. ધાર્મિક શાસ્ત્રોમાં પણ જણાવાયું છે કે સુકા અથવા સુકાઈ ગયેલા છોડ નકારાત્મક ઉર્જા લાવે છે. તેથી છોડની દરરોજ સંભાળ રાખો, સુકાયેલા પાંદડા અથવા તૂટેલા ડાળીઓને તાત્કાલિક દૂર કરો. તમારા ઘરમાં તુલસી, મની પ્લાન્ટ અથવા વાંસ જેવા છોડ રાખો. આ છોડ પ્રગતિનો માર્ગ ખોલે છે તેવું માનવામાં આવે છે. તમારા આંગણામાં ક્યારેય સુકાઈ ગયેલી તુલસી ન રાખો. આ દેવી લક્ષ્મીને નારાજ કરે છે.
5/6
ચામાચીડિયા એવો જીવ છે જે અંધકાર અને ગંદકીમાં રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં ચામાચીડિયા રહે છે ત્યાં નકારાત્મક ઉર્જા વધે છે. એવી પણ માન્યતા છે કે દેવી લક્ષ્મી એવા ઘરો કે દુકાનોમાં જતા નથી જ્યાં ચામાચીડિયા રહે છે. આવા વિસ્તારોને તરત જ સાફ કરો. સફાઈ કર્યા પછી દરરોજ સવારે ગાયત્રી મંત્ર અથવા શ્રી સૂક્તનો પાઠ કરો; આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ