ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્પીડથી લઈને ફૂડ અને કમ્ફર્ટ સુધી, જાણો વંદે ભારત અને રાજધાનીમાંથી કઈ ટ્રેન છે વધુ સારી ?

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / સ્પીડથી લઈને ફૂડ અને કમ્ફર્ટ સુધી, જાણો વંદે ભારત અને રાજધાનીમાંથી કઈ ટ્રેન છે વધુ સારી ?

Last Updated: 04:37 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય રેલવેમાં દાયકાઓથી પ્રીમિયમ સેવા આપતી રાજધાની એક્સપ્રેસ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ વંદે ભારત વચ્ચેની સરખામણી હવે રસપ્રદ બની છે.

1/5

photoStories-logo

1. સ્પીડથી લઈને ફૂડ અને કમ્ફર્ટ સુધી, જાણો વંદે ભારત અને રાજધાનીમાંથી કઈ ટ્રેન છે વધુ સારી ?

ભારતીય રેલવેમાં દાયકાઓ સુધી લાંબા અંતરની પ્રીમિયમ મુસાફરી એટલે માત્ર 'રાજધાની એક્સપ્રેસ'. 1969માં શરૂ થયેલી રાજધાનીએ દેશના પાટનગર નવી દિલ્હીને વિવિધ રાજ્યોના મુખ્ય શહેરો સાથે જોડીને રેલ પ્રવાસને આરામદાયક બનાવ્યો હતો. પરંતુ ૨૦૧૯માં શરૂ થયેલી 'વંદે ભારત' એક્સપ્રેસે દેશમાં ટ્રેન મુસાફરીની તસવીર બદલી નાખી છે. હવે વંદે ભારત સ્લીપર ટ્રેન પણ પાટા પર આવી ગઈ છે, ત્યારે મુસાફરી માટે કઈ ટ્રેન વધારે સુવિધાજનક છે તે જાણવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઝડપ અને ટેકનોલોજી: કોણ છે આગળ?

ઝડપ અને એક્સિલરેશન (ઝડપ પકડવાની ક્ષમતા)ની બાબતમાં વંદે ભારત રાજધાની કરતાં આગળ છે. વંદે ભારત 160 કિમી/કલાકની ઝડપ માટે ડિઝાઇન કરાઈ છે અને તે માત્ર ૫૨ સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ મેળવી લે છે. આ ટ્રેન ‘સેલ્ફ-પ્રોપેલ્ડ’ ટેકનોલોજી (ડિસ્ટ્રિબ્યુટેડ ટ્રેક્શન) પર કામ કરે છે, એટલે કે તેના દરેક કોચમાં મોટર લાગેલી હોય છે અને અલગથી એન્જિનની જરૂર પડતી નથી. સામે પક્ષે, રાજધાની એક્સપ્રેસ પારંપરિક એન્જિન (લોકોમોટિવ) દ્વારા ખેંચાય છે અને તેની મહત્તમ ઓપરેશનલ સ્પીડ સામાન્ય રીતે 130 કિમી/કલાકની રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સુવિધાઓ અને કમ્ફર્ટ

વંદે భారતમાં ઓટોમેટિક દરવાજા, જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, 180 ડિગ્રી રોટેટેબલ સીટો અને બાયો-વેક્યુમ ટોઇલેટ જેવી આધુનિક સુવિધાઓ છે. દિવસની ટ્રેનોમાં ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારના વિકલ્પો મળે છે. બીજી તરફ, રાજધાની એક્સપ્રેસમાં ફર્સ્ટ AC, સેકન્ડ AC અને થર્ડ AC સ્લીપર બર્થ મળે છે, જે રાત્રિના રોકાણ અને લાંબા અંતરના પ્રવાસ માટે અત્યંત આરામદાયક છે. જોકે, તેજસ રાજધાનીના નવા રેકમાં પણ હવે આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ખાાનપાન (ફૂડ સર્વિસ)

બંને ટ્રેનોમાં IRCTC દ્વારા ઉત્કૃષ્ટ ભોજન પૂરું પાડવામાં આવે છે. વંદે ભારતમાં મુસાફરીના સમય મુજબ નાસ્તો, લંચ અને ડિનર મળે છે અને તેમાં કેટરીંગ સર્વિસ ‘ઓપ્શનલ’ પસંદ કરવાનો વિકલ્પ પણ હોય છે. રાજધાની એક્સપ્રેસમાં પ્રવાસ લાંબો હોવાથી સવારની ચા થી લઈને રાત્રિના ભોજન સુધીનું વિસ્તૃત મેન્યુ આપવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કયા પ્રવાસ માટે કઈ ટ્રેન પસંદ કરવી?

જો તમારો પ્રવાસ 4 થી 8 કલાકનો હોય અને દિવસ દરમિયાન પૂરો થતો હોય, તો વંદે ભારત સૌથી ઉત્તમ અને ઝડપી વિકલ્પ છે. પરંતુ જો મુસાફરી રાત્રિ દરમિયાનની હોય અને લાંબા અંતરની હોય, તો સ્લીપર બર્થની સુવિધા હોવાથી રાજધાની એક્સપ્રેસ વધુ અનુકૂળ રહે છે. આગામી સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેનોની સંખ્યા વધતાં આ રેસ વધુ રોમાંચક બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IndianRailways RajdhaniExpress VandeBharat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ