બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 3,00,00,000થી વધુના સાધનોની ખરીદીમાં કૌભાંડ! વિપક્ષે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
Last Updated: 04:21 PM, 23 July 2025
શહેરમાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષ નેતાએ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.. ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં મસમોટું કૌભાંડ થયું હોવાના આરોપ લાગ્યા છે..3.17 કરોડના સાધનોની કરાયેલી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે..બજાર ભાવ કરતા 8થી 10 ગણા ભાવે ફાયર સાધનોની ખરીદી થઇ..280ની વ્હિસલ 3 હજાર 238માં, 1400માં મળતી પાણીની બોટલ 3 હજાર 639માં, 3800માં મળતી ટૂલ કીટના 18 હજાર 198 તો 1800 રૂપિયામાં બજારમાં મળતી LED ટોર્ચ 18 હજાર 898 રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવ્યા...જેને લઇને વિપક્ષે તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે..મહત્વનું છે કૌભાંડને લઇને ચીફ ફાયર ઓફિસર પહેલેથી જ શંકાના ઘેરામાં છે.. તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.. જો કે વિપક્ષ ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી રહ્યુ છે..
ADVERTISEMENT
વડોદરા શહેરની ફાયર બ્રિગેડમાં કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં અંદાજિત ₹3.17 કરોડના સાધનોની ખરીદીમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વિવિધ સાધનોના ભાવ બજારથી વધુ ચૂકવાયા છે, જે મામલે હવે તંત્ર અને અધિકારીઓ પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.
સામાન્ય રીતે ₹280માં મળતી એક વ્હિસલ માટે ₹1400 ચૂકવવામાં આવ્યા હતા. એ જ રીતે ₹1400માં મળતી પાણીની બોટલ પણ ઘણાં વધારે ભાવે ખરીદવામાં આવી છે. ₹275ના ચપ્પલ માટે તો ₹3000 સુધી ચૂકવાયું હોવાનું સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારો કેસ તો LED ટોર્ચનો છે, જેનો બજાર ભાવ ₹1800 હોય છે, પણ તેની ખરીદી માટે ફાયર વિભાગે ₹18,000 જેટલો ખર્ચ કર્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: કેજરીવાલ-ભગવંત માન હાલ ગુજરાતમાં, હવે રાહુલ ગાંધી પણ આવશે, શું કંઇ મોટું થશે?
આ સમગ્ર ઘટનાને લઈને વિપક્ષે ફાયર વિભાગ અને મ્યુનિસિપલ તંત્ર પર સીધો ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. વિપક્ષે માંગ કરી છે કે સમગ્ર ઘટનાની પાર્દશક રીતે તપાસ થાય અને કસુરવારો સામે પગલા લેવાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ મામલે હવે ચીફ ફાયર ઓફિસર શંકાના ઘેરામાં આવ્યા છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમગ્ર મામલે અંદરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે આ અંગે સત્તાવાળાઓ શું પગલાં લે છે અને કઈ રીતે જવાબદારી નિર્ધારિત થાય છે એ જોવું મહત્વપૂર્ણ બન્યું છે.
ફાયર બ્રિગેડ જે લોકોના જીવ બચાવે છે તેવો મહત્વનો વિભાગ છે, અને આવી બાબતો તેના પ્રતિ વિશ્વાસને હાનિ પહોંચાડે છે. લોકોમાં આ ઘટનાને લઈને ગુસ્સો છે અને બધા હવે નિષ્પક્ષ તપાસ થાય તેની રાહ જોઈને બેઠા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.