બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વિશ્વામિત્રીના જળસ્તરમાં વધારો, ગામો સંપર્ક વિહોણા, તળાવ ફાટ્યું, વરસાદથી વડોદરાનું જનજીવન અસ્તવ્યસ્ત
11 ફોટો ગેલેરી
Last Updated: 01:57 PM, 25 July 2024
1/11
2/11
આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે, આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ પહોંચી ગઈ છે, આજવા ડેમની કુલ સપાટી 211.25 ફૂટ છે. સરોવરની જળસપાટી વધતા છોડવામાં પાણી આવી રહ્યું છે. આજવા સરોવરના 62 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી ગયું છે.
3/11
4/11
વડોદરામાં જામ્બુવા ગામમાં આવેલા બ્રિજ પર એસટી બસ ફસાઈ. ઢાઢર નદીનું પાણી બ્રીજ પર ફરી વળતાં બસ ફસાઈ હતી. ડ્રાઇવરે મુસાફર ભરેલી બસને ધસમસતા પાણીના પ્રવાહમાં નાખીને મુસાફરોના જીવને જોખમમાં મુક્યા હતા. બસ બંધ થતાં ડ્રાઇવરે મુસાફરોને નીચે ઉતારી ધક્કો મરાવ્યો. ઢાઢર નદીમાં મગરો વધુ હોવાથી મુસાફરોને ફરી બસમાં બેસાડી દેવાયા. પોલીસે જામ્બુવા નદી પરનો બ્રિજ બંધ કરાવી બંદોબસ્ત ગોઠવી દીધો.
5/11
વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. વિશ્વામિત્રી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા. કારેલીબાગ વિસ્તારના જલારામ નગરમાં પાણી ભરાતા જલારામ નગરના લોકોનું સ્થળાંતર કરાવામાં આવ્યું. હજુ પણ વિશ્વામિત્રી નદીમાં પાણીની આવકના કારણે પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. 100 મકાનોમાં પાણી ભરાતા લોકોએ મકાનો ખાલી કર્યા હતા.
6/11
7/11
આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીના પાણી પિલોલ, અલીન્દ્રા, દરજીપુરા, ખોખર ગામમાં ઘૂસ્યા. સાવલીના પીલોલ ગામમાં કેડસમા પાણી ભરાયા. ખોખર, ઈન્દ્રાડ, અલીન્દ્રા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે.
8/11
વડોદરામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. જો કે હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ ઉપરવાસમાં વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. ભયજનક સપાટી 26 ફૂટની છે. જ્યારે હાલ પાણીનો પ્રવાહ તેના કરતા 1 ફૂટ વધારે એટલે કે 27 ફૂટની સપાટીથી વહી રહ્યું છે. કાલાઘોડા બ્રિજ પર લોકો નદી જોવા ન ઊમટે તે માટે પોલીસ બંદોબસ્ત મુકાયો છે.
9/11
10/11
વડોદરાના વડસર ગામે વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે કોટેશ્વર અને સમૃદ્ધિ સોસાયટીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. સોસાયટીની ચારેતરફ પાણી વળતા સ્થાનિકો ફસાઈ ગયા છે. NDRF ની ટીમ દ્વારા સ્થાનિકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. NDRFની ટીમે અત્યાર સુધી 15 લોકોનું રેસ્ક્યું કર્યું છે.
11/11
વડોદરામાં સતત વરસી રહેલા વરસાદને પગલે દશરથ ગામે મલાઈ તળાવ ફાટ્યું, તળાવ ફાટતા શ્રમજીવીઓ ફસાયા, 40 ઝૂપડા પાણીમાં ગરકાવ થયા, ફસાયેલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયું કરાયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ