બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ એક ભૂલ રદ કરી શકે છે તમારું આયુષ્માન કાર્ડ, નોટ કરી લેજો નહીંતર...!
6 ફોટો ગેલેરી
Last Updated: 01:13 PM, 30 June 2025
1/6
2/6
આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જેના હેઠળ પાત્ર લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે, જેમની પાસે આયુષ્માન કાર્ડ હોય તેઓ તેમની સારવાર મફતમાં કરાવી શકે છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો આ યોજના સાથે જોડાયેલા છે અને આયુષ્માન કાર્ડ દ્વારા મફત સારવારનો લાભ લઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી એક ભૂલને કારણે, આ કાર્ડ રદ પણ થઈ શકે છે? તો ચાલો જાણીએ કે કોનું આયુષ્માન કાર્ડ રદ થઈ શકે છે અને કયા કારણોસર.
3/6
જો તમે આયુષ્માન કાર્ડ મેળવવા માટે પાત્ર હોય તો આ કાર્ડ બનાવીને તમે મફત સારવાર મેળવી શકો છો. આ કાર્ડમાં, કાર્ડધારકને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે, એટલે કે, આ આયુષ્માન કાર્ડ દ્વારા તમે લિસ્ટેડ હોસ્પિટલોમાં વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો.
4/6
જો તમે આયુષ્માન કાર્ડ બનાવવા માંગતા હોવ તો તેને બનાવવાની એક ઓફલાઇન પદ્ધતિ છે અને બીજી ઓનલાઇન પદ્ધતિ છે. જો આપણે ઓનલાઈન પદ્ધતિ વિશે વાત કરવી હોય તો તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in/ ની મુલાકાત લઈ શકો છો અથવા તમે યોજનાની સત્તાવાર એપ્લિકેશન, આયુષ્માન એપ દ્વારા પણ આયુષ્માન કાર્ડ બનાવવા માટે અરજી કરી શકો છો.
5/6
આયુષ્માન કાર્ડ મેળવવાની એક ઑફલાઇન રીત પણ છે જેના માટે તમારે તમારા નજીકના CSC સેન્ટર પર જવું પડશે. જ્યાં સંબંધિત અધિકારીને મળવું પડશે જે તમારી યોગ્યતા તપાસે છે. પછી લાયક ઠર્યા બાદ તમારા સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ જો બધું બરાબર જણાય તો તમારી અરજી પર પ્રોસેસ કરવામાં આવશે.
6/6
જે લોકો પાત્ર નથી તેઓ પૈસા ચૂકવીને ગેરકાયદેસર રીતે આયુષ્માન કાર્ડ બનાવે છે. વિભાગ આવા લોકોની ઓળખ કરવામાં આવે છે અને તેમના આયુષ્માન કાર્ડ રદ કરવામાં આવે છે અને જો કોઈએ તેમના આયુષ્માન કાર્ડનો ઉપયોગ કર્યો હોય તો વિભાગ તેમની પાસેથી પૈસા પણ વસૂલ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ