બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Union Home Minister Amit Shah statement on Shiv Sena issue
Dinesh
Last Updated: 11:39 PM, 18 February 2023
મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચના નિર્ણય બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન શિવસેનાના નામ અને નિશાન પર જણાવ્યું કે, ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. તેમણે કહ્યું કે, યુપીએના સમયમાં દરેક મંત્રી પોતાને વડાપ્રધાન માનતા હતા પરંતુ વડાપ્રધાનને જ વડાપ્રધાન માનતા ન હતા. તેમણે કહ્યું કે, યુપીએના કાર્યકાળમાં 12 લાખ કરોડના કૌભાંડો થયા હતા. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ધૂળ ધાણી થઈ ગઈ હતી.
'મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માંગ્યા હતાં'
ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, ગઈકાલે મોટો નિર્ણય લેવાયો છે, અસલી શિવસેના અને અમારા મિત્ર પક્ષને સાચું પ્રતીક મળ્યું છે. તેમણે કહ્યું કે, એ લોકોએ મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માંગ્યા હતાં. અને ચૂંટણી બાદ મુખ્યમંત્રી બનવાના અભરખામાં કોંગ્રેસ-એનસીપીએ પગ પડી ગયાં.
પહેલા મહિલાઓ સુરક્ષિત નહોતી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ગૃહમંત્રીએ પ્રહાર કરતા કહ્યું કે, ઘૂસણખોરો અને આતંકવાદીઓ પાકિસ્તાનથી આવતા હતા અને આપણા સૈનિકોના મારતા હતા તેમજ તેમના કપાયેલા માથાનું પણ અપમાન કરતા હતા અને દિલ્હીના દરબારમાં મૌન છવાઈ જતો હતો. તેમણે કહ્યું કે, 12 લાખ કરોડના કૌભાંડો અને ભ્રષ્ટાચાર એક પછી એક દેશની સામે આવ્યા હતા. પહેલા મહિલાઓ સુરક્ષિત નહોતી, દેશની સરહદો સુરક્ષિત નહોતી. ગૃહમંત્રીએ કહ્યું કે, અગાઉની સરકારમાં વડાપ્રધાન બીજા દેશનું ભાષણ વાંચતા હતા, ક્યારેક તેઓ સિંગાપોરમાં થાઈલેન્ડનું ભાષણ વાંચતા તો ક્યારેક સિંગાપોરમાં થાઈલેન્ડનું ભાષણ વાંચતા હતા જેનાથી દેશનું અપમાન થતું હતું.
'લોકશાહીમાં બહુમતી મહત્વની છે'
સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ગઈકાલે સારો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકશાહીમાં બહુમતી મહત્વની છે. અમે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે. આ સાથે ગૃહમંત્રીએ કહ્યું હતું કે શિંદેજી તમે આગળ વધો, અમે તમારી પાછળ જ ઉભા છીએ.
દેવેન્દ્ર ફડણવીનું નિવેદન
કાર્યક્રમ દરમિયાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેઓ અસલી શિવસેનાના નેતા એકનાથ શિંદેનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે, અમારા અઢી વર્ષ ખરાબ થયાં. હવે આપણી પાસે અઢી વર્ષ છે. જેમાં ઘણું કામ કરવાનું છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમારી ડબલ એન્જિન સરકાર પૂરી તાકાતથી કામ કરશે. ફડણવીસે કહ્યું કે, તાજેતરમાં રાહુલ ગાંધીએ કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવ્યો હતો, પરંતુ કોંગ્રેસના શાસનમાં તેઓ આવું કરી શક્યા ન હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ જ આ શક્ય બન્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime