ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Union Cabinet approves implementation of Pradhan Mantri Krishi Sinchayee Yojana for 2021-26

અન્નદાતાની મદદે સરકાર / ખેડૂતો માટે ખુશખબર : આ સૌથી મોટી યોજના લંબાવી દીધી મોદી સરકારે, કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

Published By: Hiralal

Last Updated: 04:36 PM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 2025-26 સુધી લંબાવી દેવામાં આવી છે.

  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 2025-26 સુધી લંબાવાઈ
  • સરકારને થશે 93 હજાર કરોડનો વધારાનો ખર્ચ 
  • 22 લાખ ખેડૂતોને  પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો લાભ મળશે
  • ખેડૂતોના હિતમાં કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય 

ખેડૂતોને બારેમાસ સિંચાઈનું પાણી મળી રહે તે માટે મોદી સરકારે 2015 માં શરુ કરેલી સૌથી મોટી યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને લંબાવવાનો નિર્ણય લીધો છે. મોદી સરકાર દ્વારા આ યોજના લંબાવવામાં આવતા અંદાજે 22 લાખ ખેડૂતોને લાભ થશે. ખેડૂતો માટેનો મોદી સરકારનો આ મોટો નિર્ણય છે. 

કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આજની બેઠકમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાને 2021-22થી માંડીને 2025-26 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતો માટેની આ મોટી યોજનાને ચાલુ રાખવા પાછળ 93 હજાર કરોડ વધારાનો ખર્ચ થશે. 

22 લાખ ખેડૂતોને  પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો લાભ મળશે
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો લાભ 22 લાખ ખેડૂતોને થશે. 

કોણ લઈ શકે પ્રધાનમંત્રી સિંચાઇ યોજનાનો લાભ 
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ. આ યોજનાના લાયક લાભાર્થીઓ દેશના તમામ વર્ગોના ખેડૂતો હશે. પીએમ કૃષિ સિંચાઈ યોજના હેઠળ સ્વસહાય જૂથો, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ, કોર્પોરેટ કંપનીઓ, ઉત્પાદક ખેડૂતોના જૂથોના સભ્યો અને અન્ય લાયકાત ધરાવતી સંસ્થાઓના સભ્યોને પણ લાભ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી સિંચાઇ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે આધાર કાર્ડ, ઓળખપત્ર, ખેડૂતોના જમીનના કાગળો, જમીનની નકલ, બેંક એકાઉન્ટ પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઇલ નંબરની જરૂર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Anurag Thakur Modi cabinet Pradhan Mantri Krishi Sinchayee Yojana અનુરાગ ઠાકુર કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મોદી કેબિનેટ Pradhan Mantri Krishi Sinchayee Yojana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ