બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two youths die in Ganesh pandal pandal: Mishap while installing tarpaulin in Nadiad
Priyakant
Last Updated: 10:31 AM, 31 August 2022
આજે ગણેશ ચતુર્થીના દિવસે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ નડિયાદમાં ગણેશપંડાલ પંડાલમાં બે યુવકોના મોત થતાં પંથકમાં તહેવારના દિવસે શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ ગણેશપંડાલમાં તાડપત્રી લગાવતી વખતે 3 યુવકને કરંટ લાગ્યો હતો. જેમાં 2 આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ તરફ અન્ય એક યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
નડિયાદના પીજ રોડ ઉપર ગણેશ ચતુર્થીના દિવસે જ કરૂણાંતિકા સર્જાઇ છે. વિગતો મુજબ ગીતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું. જેને સ્થાનિક 3 આશાસ્પદ યુવકો દ્વારા ગણેશપંડાલમાં તાડપત્રી લગાવવાણી કવાયત હાથ ધરાઇ હતી. જોકે વિધાતાને કઈક બીજું જ મંજૂર હોય તેમ ત્રણેયને તાડપત્રી લગાવતી વખતે કરંટ લાગ્યો હતો. માહિતી મુજબ 11 KVનો વાયર માથાના ભાગે અડી જતા આ દુર્ઘટના બની હતી.
પળભરમાં ગણેશપંડાલમાં માતમ છવાયો
નડિયાદના પીજ રોડ ઉપર ગીતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં બનેલી કરૂણાંતિકાથી પંથકમાં શોકનું મીજઉ ફરી વળ્યું છે. વિગતો મુજબ ગણેશપંડાલ પંડાલમાં વરસાદી વાતાવરણને કારણે તાડપત્રી લગાવવા જતાં ત્રણ યુવકોને કરંટ લાગતાં 2 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. આજે ગણેશ ચતુર્થીના દિવસે જ કરૂણાંતિકા સર્જાતાં પળભરમાં ગણેશપંડાલમાં માતમ છવાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime