બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં કુલ 13 કર્મચારીઓને તાત્કાલિક ધોરણે કરાયા ફરજ મુક્ત, જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં
Last Updated: 07:49 AM, 9 December 2025
નવસારી જિલ્લામાં આધારકાર્ડ કામગીરી દરમિયાન ગંભીર ગેરરીતીઓ થયાની શંકા સામે આવી છે. આ મુદ્દાની રાજ્ય કક્ષાએ સુધી ફરિયાદ પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. તાત્કાલિક કાર્યવાહીરૂપે બે સુપરવાઇઝર તેમજ 11 ઓપરેટર સહિત કુલ 13 કર્મચારીઓને ફરજમુક્ત કરવાનો જિલ્લા કલેક્ટર દ્વારા ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, આધારકાર્ડ અપડેશન અને નવી નોંધણીની પ્રક્રિયામાં અનિયમિતતાઓ અને સંભવિત ગેરકાયદેસર કામગીરી થતી હોવાનું પ્રાથમિક તારણ મળ્યું હતું. જેમાં દસ્તાવેજોની ચકાસણીમાં બેદરકારી, નિયમ વિરુદ્ધ એન્ટ્રીઓ તથા અન્ય શંકાસ્પદ પ્રક્રિયાઓનો સમાવેશ થતો હોવાનું સૂત્રો સૂચવે છે.
છુટા કરાયેલા કર્મચારીઓના નામ
ADVERTISEMENT
જિલ્લા વહીવટી તંત્રએ આ કેસની સત્તાવાર તપાસ પણ શરૂ કરી છે. સંબંધિત દસ્તાવેજો, સિસ્ટમ લોગ્સ, કાર્યપદ્ધતિ અને સંકળાયેલા કર્મચારીઓના નિવેદનો આધારે વધુ વિગતો બહાર આવશે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાનૂની તથા શિસ્તની કાર્યવાહી હાથ ધરાશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઇસ્કોન–તથ્ય પટેલ અકસ્માત કેસમાં આજે ફરી સુનાવણી, મુખ્ય આઈ-વીટનેસ આપશે જુબાની
જિલ્લા કલેક્ટરએ સ્પષ્ટ કર્યું છે કે આધારકાર્ડ જેવી સંવેદનશીલ અને મહત્વની કામગીરીમાં કોઈપણ પ્રકારની ગેરરીતી સહન કરવામાં આવશે નહીં. જનતાના દસ્તાવેજો તથા ઓળખ સંબંધિત સેવાઓમાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવાનું તંત્રનું મુખ્ય ધ્યેય હોવાનું પણ જણાવાયું છે. આ કાર્યવાહીથી જિલ્લા સ્તરે તરંગ મચ્યા છે અને આગામી દિવસોમાં તપાસનો અંતિમ અહેવાલ શું કહે છે તેની આતુરતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.