બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Today is the second day of PM Modi's Gujarat tour, the completion and launch of 5206 crore worth of development works.
Vishal Khamar
Last Updated: 07:24 AM, 27 September 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે PMના આગમનને લઈને રાજ્યમાં અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ જેવા કાર્યક્રમો યોજાનાર છે. જેને લઈને આજે અમદાવાદ, છોટાઉદેપુર, દાહોદ અને વડોદરામાં પણ કાર્યક્રમો યોજાવાના છે. જે કાર્યક્રમોને લઈ પ્રધાનમંત્રી તમામ કાર્યક્રમોમાં હાજરી આપશે. જો PMના કાર્યક્રમની વાત કરવામાં આવે તો, અમદાવાદ સાયન્સસિટીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થવાને લઈ યોજાનાર કાર્યક્રમમાં PM હાજરી આપશે. આ સાથે PM દાહોદ અને છોટાઉદેપુરમાં 5 હજાર 206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમજ વડોદરામાં મહિલાઓ દ્રારા આયોજન કરેલા PMના અભિવાદન સમારંભમાં પણ હાજર રહેશે.ત્યાર બાદ PM દિલ્લી જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે તા.૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત વડાપ્રધાન સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @nare ના ગુજરાત પ્રવાસ દરમ્યાન આવતીકાલે યોજાનારા અમદાવાદ, છોટા ઉદેપુર અને વડોદરા ખાતેના કાર્યક્રમો
— BJP Gujarat (@BJP4Gujarat) September 26, 2023
લાઈવ નિહાળો:
• https://t.co/sYQMNVy1qP
• https://t.co/3xD28cKFF2
• https://t.co/ZTR8waOqmd pic.twitter.com/fJHviyfpJR
૨૦ વર્ષ પહેલા, તા.૨૮મી સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળી છે.
5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
રાજ્યના છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ગુજરાતને મળશે વિકાસની સોગાત ! ✌🏼
— Dr. Kuber Dindor (@kuberdindor) September 26, 2023
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodiજી ના વરદ્હસ્તે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. 4,505 કરોડ સહિત અન્ય વિભાગના કુલ રૂ. 5,206 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. pic.twitter.com/w0nMhU1kdE
કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 1426 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને 3079 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
7500 ગામડાઓમાં વિલેજ વાઇ-ફાઇ
વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 277 કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, 251 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ 80 કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે 23 કરોડ રૂપિયાના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ 10 કરોડ રૂપિયાના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
25 ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી મળશે છુટકારો
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક દિવસીય પ્રવાસે આવનાર PM મોદી કવાંટના લોકોને પણ વિકાસની ભેટ આપશે. તા.27મી સપ્ટેમ્બરે PM મોદીના હસ્તે કવાંટ જૂથ યોજના તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીનું ખાતમુહૂર્ત થશે. જેનાથી કવાંટના 25 ગામોના લોકોને પીવાના પાણીની સમસ્યાથી કાયમી છુટકારો મળશે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કુલ 25 ગામોમાં બિન પીવાલાયક અને અપૂરતા ભુગર્ભ જળને કારણે ઉભી થયેલી પીવાના પાણીની મુશ્કેલીને દૂર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રૂ.79.52 કરોડની નર્મદા રીવર બેઝીન આધારિત ડી.ડી.એસ.એ બલ્ક પાઈપ લાઈન ટેંપીંગ મારફતે કવાંટ જૂથ પાણી પુરવઠા તથા સંલગ્ન ફળિયા કનેક્ટીવીટીની યોજના તૈયાર કરી છે. જેનાથી આ તાલુકાના ડુંગરાળ વિસ્તારના કુલ 25 ગામોની અંદાજીત 41 હજાર લોકોની વસ્તીનું પીવાના પાણીની મુશ્કેલીનું કાયમી ધોરણે નિરાકરણ આવશે.
ભૂગર્ભ સંપ મારફતે પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન
આ યોજનામાં મોટી ચીખલી ખાતેના ભૂગર્ભ સંપમાંથી નર્મદાનું રો-વોટર પાણી 6.50 એમ.એલ.ડી ક્ષમતાના ફીસ્ટ્રેશન પ્લાન્ટમાં પંપ કરી શુદ્ધિકરણ કરેલું પીવાનું પાણી અંદાજીત 211.08 કિ.મી પાઈપલાઈન મારફ્તે વહન કરી ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર 1.79 એમ.એલ ક્ષમતાની કુલ 33 નંગ ઉંચી ટાંકી તથા 11.64 એમ.એલ ક્ષમતાના કુલ 47 નંગ ભૂગર્ભ સંપ મારફતે પીવાનું પાણી નર્મદાના પૂરતા પ્રેશરથી પુરું પાડવાનું સુપેરે આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીના હસ્તે ખાતમુહૂર્ત બાદ જુલાઈ- 2025 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. નરેન્દ્ર મોદીના આ વિકાસ ભેટથી અહીં ટ્રાયબલ બેલ્ટની મહિલાઓને આરામદાયક રીતે પીવાનું પાણી મળી રહેશે.
જાણો પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ
- PM મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે
- 27 સપ્ટેમ્બરે અમદાવાદ સાયન્સ સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે
- વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે
- છોટાઉદેપુરમાં 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
- મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.4505 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ
- રૂ.1426 કરોડના કામોનું લોકાર્પણ, રૂ.3079 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે
- 9088 નવા વર્ગખંડો, 50300 સ્માર્ટ ક્લાસરૂમ અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત
- 19600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશનનું ખાતમુહૂર્ત
- 7500 ગામોમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાપર્ણ
- દાહોદ ખાતે આકાર પામેલી 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલયનું લોકાપર્ણ
- દાહોદમાં બનાવેલા 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું કરશે લોકાર્પણ
- વડોદરા ખાતેના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આપશે હાજરી
- વડોદરાના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM દિલ્હી જવા રવાના થશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime