બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / To avoid the victim of diabetes at a young age?
Pooja Khunti
Last Updated: 09:47 AM, 22 January 2024
આજકાલ નાની ઉંમરનાં લોકોમાં પણ ડાયાબિટીસની સમસ્યા જોવા મળી રહી છે. જે પહેલા મોટી ઉંમરનાં લોકોને જ થતી હતી. આજે આ સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. નાના-નાના બાળકો પણ ડાયાબિટીસનાં શિકાર બની રહ્યા છે. નાની ઉંમરનાં લોકો ટાઈપ 2 ડાયાબિટીસનાં શિકાર બની રહ્યા છે. તેનું કારણ છે શારીરિક પ્રવૃતિનો અભાવ અને ખાનપાનને લઈને લાપરવાહી. તમે નાની ઉંમરમાં ડાયાબિટીસનાં શિકાર ન બનવા માંગતા હોય તો આ ટિપ્સ ફોલો કરો.
ડાયાબિટીસથી બચવા શું કરવું જોઈએ
સક્રિય રહો
કોઈ પણ બીમારીથી બચવા માટે સક્રિય રહેવું ખુબજ જરૂરી છે. ડાયાબિટીસની સમસ્યાથી બચવા માટે તમારે સક્રિય રહેવાની જરૂર છે. કસરત કરો, યોગ કરો અને ધ્યાન કરો.
તણાવ વધારે છે ડાયાબિટીસની સમસ્યા
આજે વધુ પડતાં લોકો તણાવ અને ચિંતામાં જોવા મળે છે. ચિંતા અંગત જીવનને લઈને હોય શકે છે અને કામને લઈને પણ હોય શકે છે. નાની ઉંમરમાં ડાયાબિટીસથી બચવા માટે ચિંતા અને તણાવથી બચીને રહો. ચિંતા ઓછી કરવા માટે રિલેક્સ થઈને ઊંઘવું ખુબજ જરૂરી છે.
વાંચવા જેવું: શું તમને પણ છે ઊંઘમાં બોલવાની ટેવ છે? હોઈ શકે છે આ બીમારી, જાણો શું છે ઈલાજ
હેલ્ધી આહારનું સેવન કરો
શરીરને ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચાવવા માટે સ્વસ્થ રહેવું જરૂરી છે. આ માટે સૌથી જરૂરી છે કે તમે હેલ્ધી આહારનું સેવન કરો. તમારા આહારમાં અનાજની સાથે ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. આ સાથે બજારમાં મળતો ખોરાક ખાવાનું ટાળો. ધ્યાનમાં રાખો કે સોડા જેવા પીણાં હાનિકારક છે.
યોગ્ય માત્રામાં ખાઓ
ઘણી વખત લોકો વધુ પ્રમાણમાં સ્વાદિષ્ટ ખોરાક ખાય લે છે. જે મુશ્કેલી ઉભી કરે છે. જો તમે વધુ પડતો ખોરાક લો છો તો તેનાથી સ્થૂળતા વધે છે અને સ્થૂળતા વધવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. તેથી યોગ્ય માત્રામાં જ ખાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh