બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / Tired of the extortion of Ahmedabad usurers the young man tried to commit suicide
Kishor
Last Updated: 12:10 AM, 14 April 2023
સોલા વિસ્તારમાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી યુવકે ચાંદલોડિયાના હનુમાન મંદિર ખાતે ઉંદર મારવાની દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી છે. યુવકે વ્યાજખોરોને રૂપિયા આપ્યા હોવા છતાં ધમકીઓ આપતા હોવાથી આ પગલું ભર્યું હતું.ન્યૂ રાણીપના મેલડીનગરમાં રહેતા હિતેશભાઇ રાઠોડે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હિતેશભાઇ ફિર્નચરનું કામકાજ કરે છે. આજથી પાંચ વર્ષ પહેલાં હિતેશભાઇના પિતા તેમજ નાના ભાઈનાં અવસાન થયાં હતાં. ત્યાર બાદ દીકરીનાં લગ્ન હતાં, જેથી ઘરમાં પૈસાની તંગી ઊભી થઇ હતી.હિતેશભાઇએ કલ્પેશ મિસ્ત્રી પાસેથી ચાર ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતા. તેની સામે પોતાના મકાનના કાગળ આપ્યા હતા. હિતેશભાઈએ કલ્પેશને વ્યાજ સાથે ૭.ર૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. ત્યાર બાદ હિતેશભાઇએ પ્રભાત રબારીને પણ વ્યાજ સાથે રૂપિયા ચૂકવી દીધા હતા. બીજા વ્યાજખોરને પણ રૂપિયા આપી દીધા હતા.
પૈસા નહીં આપો તો મકાન ખાલી કરાવી દઈશ
હિતેશભાઈ સમયસર બધા વ્યાજખોરોને રૂપિયા આપતા હતા. તમામ વ્યાજખોરોને રૂપિયા આપ્યા હોવા છતાં વધુ રૂપિયા માટે હિતેશભાઈ પાસે અવારનવાર ઉઘરાણી કરી ધમકી આપતા હતા. વ્યાજખોરો હિતેશભાઈને અમારી મૂડી ઉપરાંત વ્યાજ નહીં આપો તો બહાર નીકળશો તો જોઈ લઈશું તેવી ધમકી આપતા હતા. કલ્પેશે હિતેશભાઈને કહ્યું હતું કે તમારું મકાન મારી પાસે છે, પૈસા નહીં આપો તો મકાન ખાલી કરાવી દઈશ.
હનુમાન મંદિર ખાતે ઉંદર મારવાની દવા પીને આપઘાતની કોશિશ કરી
હિતેશભાઈ ખૂબ ડરી ગયા હતા, જેથી તેમને ક્યાંય પણ ચેન પડતું ન હતું. આથી હિતેશભાઈએ ચાંદલોડિયાના હનુમાન મંદિર ખાતે ઉંદર મારવાની દવા પીને આપઘાતની કોશિશ કરી હતી. હિતેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે લઇ ગયા હતા. હિતેશભાઈએ આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime