બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / three habits can be the cause of quarrels

ધર્મ / આ ત્રણ આદતોના કારણે પરિવારમાં થાય છે ઝઘડા, ગરુડ પુરાણમાં છે કારણો

ParthB

Last Updated: 01:20 PM, 4 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મના 18 મહાપુરાણોમાં એક ગરુડ પુરાણ પણ છે. ગરુડ પુરાણમાં નારાયણ દેવ અને ભક્ત વચ્ચે થયેલ વાતમાં સમજાવ્યું છે કે સાંસારિક જીવન કઈ રીતે જીવવું જોઈએ. ગરુડ પુરાણ મુજબ માનવીઓની એવી ત્રણ આદતો છે જેના કારણે પરિવારમાં ઝગડા થાય છે.

  • ઘરમાં નકામો સામાન રાખવો નહીં 
  • ઘરમાં એઠાં વાસણો રાખવા નહીં
  • ઘરને હંમેશા સ્વચ્છ અને ચોખ્ખું રાખવું જોઈએ   

હિન્દુ ધર્મમાં 18 મહાપુરાણોમાં એક ગરુડ પુરાણનું ખાસ મહત્વ છે. આ પુરાણોમાં વ્યક્તિના જીવનથી લઈ મૃત્યુ સુધીના સફરની વાત કરી છે. જેમાં નારાયણ દેવ અને ભક્ત વચ્ચે થયેલ વાત દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે જીવન કઈ રીતે જીવવું જોઈએ. જેમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સદાચાર અને નિષ્કામ કર્મનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. 

આ ઉપરાંત ગરુડ પુરાણમાં લોકોના જીવન સાથે જોડાયેલી ઘણી બધી વાતો કહેવામાં આવી છે. જો આ વાત તમે તમારા જીવનમાં અપનાવશો તો તમારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જશે. તો જાણો આવી કઈ આદતો બદલાવથી જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. 


ઘરમાં નકામો સામાન રાખવો નહીં 
ગરુડ પુરાણ અનુસાર, લોકોએ પોતાના ઘરમાં નકામો સામાન ભેગો કરીને ન રાખવો જોઈએ, કારણકે નકામો સામાન ભેગો કરી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. જેથી ઘરના પરિવારોમાં એકતા અને સંપ જળવાઈ રહેતો નથી. તેથી ઘરમાં કાટ ખાઈ ગયેલી વસ્તુઓ, તૂટેલું ફર્નિચર, નકામી ચાવીઓ રાખી હોય તો તેને આજે જ ફેંકી દો. 

ઘરમાં એઠાં વાસણો રાખવા નહીં 
દરેક ઘરમાં રાત્રે એઠાં વાસણોને ધોઈને રાખવા જોઈએ. તમે જોયું હશે કે ઘણા ઘરોમાં એઠાં વાસણો રાત્રે એમ જ મૂકી રાખવામાં આવે છે. પણ ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે રસોડામાં કે ઘરમાં કોઈપણ જગ્યાએ એઠાં વાસણો જો રાખવામાં આવે તો ઘરના સભ્યો વચ્ચે ઝગડા વધુ પ્રમાણમાં થાય છે. તેથી ઘરમાં રાત્રે જમ્યા બાદ એ બધા જ વાસણો ધોઈ નાખવા જોઈએ. 

ઘરને હંમેશા સ્વચ્છ અને ચોખ્ખું રાખવું જોઈએ 
ગરુડ પુરાણમાં સમજાવ્યા અનુસાર, જો ઘર સ્વચ્છ ના રાખ્યું હોય તો ઘરમાં નકારાત્મકતા આવે છે અને ઘરમાં વધુ પ્રમાણમાં ઝગડા થાય છે. સાથે જ ઘરમાં બીમારીઓ પણ વધી જાય છે. તેથી જો તમારે ઘરમાં સુખ અને શાંતિ જોઈએ છે તો ઘરને તો સાફ રાખવું જ જોઈએ પણ સાથે સાથે પોતે પણ એકદમ સ્વચ્છ રાખવું જોઈએ. તેથી સવારે વહેલા ઉઠી જઈએ અને ઘરને પણ સ્વચ્છ કરીએ. આ સાથે ઘરમાં પૂજા પાઠ પણ કરો, આ કરવાથી ઘરનું વાતાવરણ એકદમ શાંત રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

better life garud puran real life ગરુડપુરાણ માનસિક શાંતિ garud puran
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ