બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:57 PM, 20 April 2026
જ્યારથી નેપાળમાં નવી સરકાર આવી છે ત્યારથી નવા નવા રીફોર્મ થઇ રહ્યા છે. બાલેન શાહની સરકારના નાણા મંત્રીએ ઘોષણા કરી છે કે, હવે તેમના સરકારી કર્મચારીઓને મહિનામાં બે વખત પગાર મળશે. નેપાળ સરકારે આ નિર્ણયને 17 એપ્રિલે મંજુરી પણ આપી દીધી છે.
ADVERTISEMENT
નેપાળ સરકારના આ નિર્ણય બાદ તેમના તમામ કર્મચારીઓને દર 15 દિવસે પગાર આપવામાં આવશે. તેમનું માનવું છે કે આ ડીસીઝનથી તેમનું અર્થતંત્ર ટ્રેક પર આવશે. બે વખત પગાર મળવાથી તેમની ખર્ચ શક્તિ વધશે અને આ પૈસા માર્કેટમાં આવશે.

ADVERTISEMENT
બાલેન સરકારનાં આ નિર્ણય બાદ નેપાળના સરકારી કર્મચારીઓના પગાર કંટ્રોલ કરનારી સંસ્થાનું પણ નિવેદન આવ્યું છે. જેમાં એફસીજીઓના પ્રવક્તા દીપક લામીછાને જણાવ્યું કે, "ટેકનીકલ રીતે મહિનામાં બે વખત પગાર અપાવામાં અમને કોઈ સમસ્યા નથી. અમે સિવિલ સેવકો, નેપાળી સેના, પોલીસ અને બીજા કર્મચારીઓને ગમે ત્યારે પગાર આપી શકીએ છીએ".
ADVERTISEMENT
આ સિવાય તેમને એ વાત પર પણ જોર આપ્યું કે, આ નિર્ણય લાગુ થવાથી કાનૂની સંશાધનોની પણ જરુરુ પડશે. ઉલ્લેખનીય છે કે, નેપાળના બંધારણમાં કર્મચારીઓને મહિનાના અંતમાં પગર આપવાની જોગવાઈ છે. તો લામીછાને જણાવ્યું કે, તેઓ તેમના નિર્ણયને લઇ પ્રતિબદ્ધ છે એથી તેઓ આ નિર્ણય ગમે તે રીતે લાગુ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.