બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરીરમાં દેખાય આ સંકેતો તો સમજી જજો હાર્ટ ખરાબ છે, એક્સપર્ટ પાસેથી જાણો
Last Updated: 09:05 PM, 23 June 2026
આપણું શરીર અમુક સંકેતો આપે છે જે હૃદયના ખરાબ હોવાનું દર્શાવે છે. આ સંકેતોને અવગણવા ખતરનાક સાબિત થઈ શકે છે. કેમ કે કે આ સ્થિતિ હાર્ટ અટેક કે મૃત્યુ તરફ દોરી શકે છે. જેમાં ખરાબ લાઈફસ્ટાઈલના લીધે હાર્ટ અટેક આજે એક ગંભીર બીમારી બની ગયુ છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશનના ડેટા અનુસા વૈશ્વિક સ્તરે લગભગ 32% મૃત્યુ હૃદય સંબંધિત બીમારીને કારણે થાય છે. હાર્ટ અટેક કે અને બીજી સમસ્યાઓ અચાનક થતી નથી. એના પહેલા આપણા શરીર તેમને પહેલાથી જ સંકેત આપવાનું શરૂ કરે છે. આ લક્ષણોને ઓળખવાથી લાઈફ બચાવી શકાય છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, આ હાર્ટ અટેકનું સૌથી કોમન લક્ષણ છે. જો તમને છાતીમાં ભારેપણું, બેચેની , કે બળતરાનો અનુભવ થાય અને તે થોડી મિનિટોથી વધુ સમય સુધી ચાલુ રહે આરામ કરવાથી ઠીક થઈ જાય છે તો તે કોરોનરી ધમની રોગની નિશાની હોઈ શકે છે.
ADVERTISEMENT
જો તમે રોજિંદા કામકાજ કરીને પણ ઝડપથી થાકી જાઓ છો કે સવારે ઉઠ્યા પછી સુસ્તી અનુભવો છો તો તે સૂચવે છે કે તમારું હૃદય તમારા આખા શરીરમાં લોહી યોગ્ય રીતે પંપ કરી રહ્યું નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
સીડી ચડતી વખતે કે થોડું ચાલતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ એ કમજોર હૃદયની નિશાની છે. ક્યારેક, સૂતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
ADVERTISEMENT
જ્યારે હૃદયની પંપીંગ ક્ષમતા કમજોર પડી જાય ત્યારે શરીરના નીચેના ભાગોમાં પ્રવાહી ભેગું થવા લાગે છે જેના કારણે પગ અને પગની ઘૂંટીઓમાં સોજો આવે છે.
ADVERTISEMENT
કોઈપણ શારીરિક શ્રમ વગર અચાનક ઠંડા પરસેવો અને ચક્કર આવવા એ હાર્ટ અટેક આવવાનો સીધો સંકેત હોઈ શકે છે.
અમુક સ્ટડી દર્શાવે છે કે 80% અકાળ હાર્ટ અટેકને માત્ર લાઈફસ્ટાઈલમાં ફેરફાર દ્વારા અટકાવી શકાય છે. જો તમને તેમાંના કોઈપણ લક્ષણો સતત ફિલ થાય તો તેને ગેસ કે સામાન્ય કમજોરી ગણીને અવોઇડ ન કરો. જેમાં તાત્કાલિક કાર્ડિયોલોજિસ્ટની સલાહ લો અને ECG અને ઇકોકાર્ડિયોગ્રાફી જેવા જરૂરી ટેસ્ટ કરાવો.
દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ સ્વસ્થ આહાર લો અને કસરત કરો કે ચાલવા જાઓ. આ તમારી નસો અને ધમનીઓમાં બ્લોકેજનું જોખમ ઘટાડે છે. ચાલવાથી તમારી નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવાનું જોખમ ઘટે છે. નિયમિત રીતે LFTs, KFTs, CBCs, યુરીન ટેસ્ટ અને બીજા ટેસ્ટ કરાવો.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.