બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શાળાઓ પાસે જંકફૂડના વેચાણ પર પ્રતિબંધની માગ, CM-શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર
Last Updated: 02:07 PM, 16 August 2026
રાજ્યમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળા સંચાલક મંડળે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. મંડળે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને રાજ્યની તમામ શાળાઓની બહાર જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. ખાસ કરીને શાળાઓથી 100 મીટરના વિસ્તારમાં જંકફૂડનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળનું માનવું છે કે નાના બાળકોમાં ગંભીર રોગોના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને હવે આ મુદ્દે કડક નિર્ણય લેવાની જરૂર છે.
ADVERTISEMENT

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આજના સમયમાં બાળકોમાં જંકફૂડનું વધતું સેવન અનેક આરોગ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. શાળાની આસપાસ સરળતાથી ઉપલબ્ધ જંકફૂડ બાળકોને વધુ આકર્ષે છે, જેના કારણે તેઓ પૌષ્ટિક આહારને બદલે નબળી ગુણવત્તાવાળા ખોરાક તરફ વળી રહ્યા છે. આ સ્થિતિ લાંબા ગાળે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. તેથી શાળાઓથી 100 મીટરના વિસ્તારમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ADVERTISEMENT
શાળા સંચાલક મંડળે પોતાના પત્રમાં માત્ર જંકફૂડ પર પ્રતિબંધની જ માંગ કરી નથી, પરંતુ શાળાઓમાં ચાલતી કેન્ટીન અંગે પણ મહત્વપૂર્ણ સૂચન કર્યું છે. મંડળે રજૂઆત કરી છે કે મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં ચાલતી તમામ કેન્ટીનનું રજિસ્ટ્રેશન કરવામાં આવે. આ પ્રક્રિયાથી કેન્ટીનમાં મળતા ખોરાકની ગુણવત્તા પર અસરકારક દેખરેખ રાખી શકાશે અને બાળકોને સ્વચ્છ તેમજ ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે.
ADVERTISEMENT
આ ઉપરાંત શાળા સંચાલક મંડળે શાળાઓમાં બાળકોને નબળી ગુણવત્તાનું ભોજન આપવામાં ન આવે તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવાની પણ માંગ કરી છે. સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે તો શાળાઓમાં પીરસાતા ભોજનની ગુણવત્તા જાળવી શકાય અને બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થાય.
ADVERTISEMENT
શાળાઓ પાસે જંકફૂડના વેચાણ પર પ્રતિબંધની માગ, CM-શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 16, 2026
શાળા સંચાલક મંડળે રાજ્યની તમામ શાળાઓના કેમ્પસ અને આસપાસના 100 મીટર વિસ્તારમાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. નાના બાળકોમાં ગંભીર રોગોના વધતા બનાવોને લઈને CM અને શિક્ષણ મંત્રીને પત્ર લખી… pic.twitter.com/YsxfvVD8b7
ADVERTISEMENT
પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જંકફૂડ ઉપરાંત નશાકારક પદાર્થો અંગે પણ સમાજમાં જાગૃતિ લાવવાની જરૂર છે. ખાસ કરીને વાલીઓને આ અંગે વધુ માહિતગાર કરવામાં આવે તે માટે જાગૃતિ કાર્યક્રમો યોજવાની માંગ કરવામાં આવી છે. આવા કાર્યક્રમો દ્વારા વાલીઓને બાળકોના આરોગ્ય, પૌષ્ટિક આહાર અને નશાકારક પદાર્થોના નુકસાન વિશે યોગ્ય માહિતી મળી શકે છે.
આ પણ વાંચો : વડોદરામાં મંદિરે દર્શને જતાં કરન્ટ લાગતાં ભાઈનું મોત, બચાવવા જતાં બહેન પણ ન બચી
ADVERTISEMENT
શાળા સંચાલક મંડળનું માનવું છે કે સરકાર, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, શાળાઓ અને વાલીઓના સંયુક્ત પ્રયાસોથી બાળકોને વધુ સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ આપી શકાય છે. જો શાળાઓની આસપાસ જંકફૂડના વેચાણ પર નિયંત્રણ લાવવામાં આવે, કેન્ટીનનું યોગ્ય રજિસ્ટ્રેશન કરવામાં આવે, ગુણવત્તાયુક્ત ભોજન માટે SOP બનાવવામાં આવે અને વાલીઓમાં જાગૃતિ લાવવામાં આવે તો બાળકોના આરોગ્યના રક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.