બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:21 AM, 17 February 2025
Earthquake Causes: ધરતીની સપાટી નીચેના બિંદુ જ્યાં તણાવને કારણે ચટ્ટાનોમાં તૂટ ફૂટ થાય છે. તેને ભૂકંપનું કેન્દ્ર અથવા હાયપોસેન્ટર કહેવામાં આવે છે. અહીંથી ઉર્જા તરંગોના રૂપમાં બહાર આવે છે. જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે.
ADVERTISEMENT
દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો અને ધરતીને ફરી એકવાર હચમચાવી દીધી. સોમવારે સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 હતી અને તેનું કેન્દ્ર દિલ્હી નજીક 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના જોરદાર આંચકાને કારણે લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભૂકંપ વારંવાર કેમ આવે છે? ચાલો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીએ અને ભારતમાં સૌથી વધુ ભૂકંપગ્રસ્ત વિસ્તારો વિશે પણ જાણીએ.
ADVERTISEMENT
ભૂકંપના કારણ
વાસ્તવમાં ભૂકંપનું મુખ્ય કારણ ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ છે. પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટો પર ટકી છે જે સતત ધીમી ગતિએ ફરે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે અથવા સરકે છે, ત્યારે ઊર્જા નીકળે છે જે ભૂકંપનું કારણ બને છે. વૈજ્ઞાનિકોના મતે આ પ્લેટો દર વર્ષે લગભગ 4 થી 5 મિલીમીટર પોતાનું સ્થાન બદલે છે. ક્યારેક તેઓ અથડાઇ અને ફસાઇ જાય છે, અને જ્યારે ઊર્જા અચાનક મુક્ત થાય ત્યારે ભૂકંપ આવે છે.
ADVERTISEMENT
ભારતમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારો
વિશ્વમાં મોટાભાગના ભૂકંપ 'રિંગ ઓફ ફાયર' ક્ષેત્રમાં આવે છે. જેમાં ઇન્ડોનેશિયા, જાપાન અને અમેરિકાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. ભારતમાં પણ તાજેતરના વર્ષોમાં ભૂકંપના બનાવોમાં વધારો થયો છે. આ ભયના આધારે ભારતને ભૂકંપ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ભારતમાં ભૂકંપીય ક્ષેત્રોનું વર્ગીકરણ:
ADVERTISEMENT
ભૂકંપના જોખમના આધારે ભારતને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે:
ઝોન-5: સૌથી વધુ જોખમ: તેમાં ઉત્તરપૂર્વ ભારત, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતનો કચ્છ પ્રદેશ, ઉત્તર બિહાર અને આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે. અહીં વારંવાર ભૂકંપ આવતા રહે છે.
ADVERTISEMENT
ઝોન-4 ઉચ્ચ જોખમ: જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશનો બાકીનો ભાગ, દિલ્હી, સિક્કિમ, ઉત્તર પ્રદેશના ઉત્તરીય ભાગો, બિહાર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો.
ઝોન-3 મધ્યમ જોખમ: તેમાં કેરળ, બિહાર, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પૂર્વી ગુજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.

ઝોન 2: ઓછું જોખમ
આમાં રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હરિયાણાનો સમાવેશ થાય છે.
ઝોન-1 ન્યૂનતમ જોખમ: તેમાં પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પૂર્વી મહારાષ્ટ્ર અને ઓડિશાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ઘણી સેકન્ડો સુધી ધરતી ધ્રુજતી રહી, લોકો ગભરાઈ ગયા
ભૂકંપનું કેન્દ્ર શું હોય છે?
પૃથ્વીની સપાટી નીચેનો બિંદુ જ્યાં તણાવને કારણે ખડકો તૂટી ફુટી જાય છે. તેને ભૂકંપનું કેન્દ્ર અથવા હાયપોસેન્ટર કહેવામાં આવે છે. અહીંથી ઉર્જા તરંગોના રૂપમાં બહાર આવે છે. જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપની સ્થિતિ
તાજેતરના વર્ષોમાં દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા સતત અનુભવાયા છે. નિષ્ણાતો માને છે કે આ ચિંતાનો વિષય છે અને તેના પર સતત સંશોધન થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો એ પણ અભ્યાસ કરી રહ્યા છે કે શું ટેક્ટોનિક પ્લેટોની હિલચાલ કોઈ બાહ્ય પ્રવૃત્તિથી પ્રભાવિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.