બ્રેકિંગ ન્યુઝ
KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત
કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો
IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
VTV / લાઈફસ્ટાઈલ / શોપિંગ / ઘરમાં ઉંદરનો છે ત્રાસ: આ જાપાની નુસખા છે કારગર, ઉભી પૂંછડિયે ભાગશે
Last Updated: 11:12 PM, 30 April 2024
ઘરમાં ઉંદરો આવે છે ત્યારે ચીજવસ્તુઓને નુકશાન પહોચાડે છે. ઘરવખરી પણ કોતરી ખાય છે જેને લીધે ગૃહિણીઓ પરેશાન બને છે. તમે ઇચ્છો તો રેડ કિલરથી તેને એક જ સમયે ખતમ કરી શકો છો, પરંતુ ઉંદરોને ભગવાન ગણપતિની સવારી માનવામાં આવે છે. તેથી તેમને મારવાનું વિચારવું સરળ નથી. પરંતુ ઉંદરો પહેલા તો બિનઆમંત્રિત મહેમાનોની જેમ ઘરમાં આવે છે ત્યાર બાદ ઘર છોડવાનું નામ લેતા નથી.આટલું જ નહીં ક્યારેક તેઓ ખાવાની વસ્તુઓને તો ક્યારેક કપડાંને નુકસાન પહોંચાડે છે. તેઓ કીમતી ચીજો પણ ચીરી નાખે છે. તેથી જ તેમનું ઘરમાં આવવું કોઈને ગમતું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે ઘરમાં એક પછી એક નુકસાન થાય છે, ત્યારે પરિવારના લોકો નારાજ થાય છે અને ઉંદરોને રેટ કિલર ખવડાવવાનું મન બનાવી લે છે. પરંતુ ઘણા લોકો તેમ કરી શકતા નથી. તો ચાલો ઉંદરોને ઘરમાંથી ભગાડવાનો ઉપાય શોધીએ. આવી સ્થિતિમાં તમારી સમસ્યાને ઓછી કરવા માટે અમે તમને એક જાપાની રીત જણાવી રહ્યા છીએ. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે જ્યારે અમે આ ઉપાય અજમાવ્યો ત્યારે તે ઘરમાંથી ઉંદરોને ભગાડવામાં અસરકારક સાબિત થશે અને તેના ખૂબ જ સારા પરિણામો સામે આવ્યા છે.
ઉંદરોને ભગાડવાની જાપાની રીત
એક સમય હતો જ્યારે જાપાનની રાજધાની ટોકિયોમાં એક વોર્ડ ઉંદરોના આતંકથી પરેશાન હતો. 2019 થી 2022 સુધીમાં મળેલી 200 ફરિયાદો 2023 માં 400નો આંકડો પાર કરી ચુકી હતી. પછી ઉંદરોની વધતી જતી વસ્તીને રોકવા માટે વોર્ડે કચરો નિકાલ કરતી કંપનીઓના જૂથ સાથે મળીને એક મોડેલ પ્રોજેક્ટ શરૂ કર્યો. જેમાં આવી કચરાપેટીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં ફુદીના જેવી જડીબુટ્ટીઓની ગંધ આવતી હતી. અને ઉંદરો આ ગંધને ધિક્કારે છે. આ રીતે ફુદીનાની સુગંધથી ઉંદરોને ભગાડવામાં સફળતા મળી.
શા માટે ઉંદરો પેપરમિંટથી ભાગી જાય છે?
જો તમે પેપરમિંટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો, તો એ પણ જાણી લો કે ઉંદરોને ફુદીનાની ગંધ કેમ પસંદ નથી. વાસ્તવમાં ઉંદર ખૂબ જ સંવેદનશીલ પ્રાણી છે, જેને સહેજ ગંધથી પણ રોકી શકાય છે. અને, ફુદીનામાં માત્ર તીવ્ર ગંધ જ નથી, પરંતુ તેમાં એક વિશિષ્ટ તાજગી પણ છે જે ઉંદરોને ખાસ ગમતી નથી. તેથી ઉંદરો તેજ, અતિ સુગંધ સાથે શુદ્ધ અને કુદરતી પેપરમિંટ તેલની ગંધને સહન કરી શકતા નથી.
પેપરમિંટ વડે ઉંદરોને ભગાડો
ટોક્યોના દાખલાથી જોવા મળે છે કે ઉંદરોને ફુદીનાની ગંધ બિલકુલ પસંદ નથી. આવી સ્થિતિમાં તમે ઉંદરોથી છુટકારો મેળવવા માટે પેપરમિંટ તેલની મદદ પણ લઈ શકો છો. પેપરમિંટ તેલનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. આ ટ્રિક અજમાવવાથી ઉંદરો માત્ર ઘરની બહાર જ નહીં નીકળે પરંતુ ફરી પાછા પણ નહીં આવે.
આ પણ વાંચોઃ રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
આ રીતે પેપરમિંટનો ઉપયોગ કરો
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT