બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Dinesh
Last Updated: 11:06 PM, 7 January 2023
જૈન સમાજની રજૂઆતો અને માંગણીઓને ધ્યાને લઇ પાલીતાણા મામલે રાજ્ય સરકારે 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી છે. જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ટાસ્કફોર્સની અધ્યક્ષતા કરશે અને રેન્જ IG જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પાલીતાણા મામલે રાજ્ય સરકારે ટાસ્ટ ફોર્સની રચના કરી
પાલીતાણા મામલે રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપ્યો છે જે ટાસ્ક ફોર્સ અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કરશે તેમજ આ ટાસ્ક ફોર્સમાં રેન્જ IG જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકનો અને ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ થયો છે. જેમાં જમીન દફ્તર નિરિક્ષક, પાલીતાણાના ચિફ ઓફિસર સામાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે પાલીતાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રહેશે.
ટાસ્ક ફોર્સમાં પોલીસ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ
પાલિતાણા દુનિયાભરના જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે પાલિતાણાના અનેક પ્રશ્નો છે. જેને લઈને મુખ્યમંત્રી દ્વારા અલગ અલગ મુદ્દે ચર્ચા કરાઈ હતી. જેને લઈને પાલીતાણાના પ્રશ્નો મુદ્દે ટાસ્ટ ફોર્સ બનાવવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સમાં પોલીસ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ ટાસ્ક ફોર્સ પાલીતાણાના પ્રશ્ન પર ઉકેલ લાવશે. તમને જણાવી કે, શેત્રુંજય પર્વત પર એક પોલીસ ચોકી બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.
દેશભરમાં સમસ્ત જૈન સમાજ વિરોધ હતો
છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવ્યા હતાં. ત્યારે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે આજે ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા રેલીઓ પણ યોજાઈ હતી.
પાલિતાણાનો વિવાદ શું છે?
પાલિતાણામાં તોડફોડ કરવામાં આવી હતી. રોહિશાળામાં જૈનોના પ્રથમ તિર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાને ખંડિત કરાયા હતા. પગલા ખંડિત કરવા સાથે મંદિરના CCTV અને પોલમાં પણ તોડફોડ કરી હતી. તોડફોડની ઘટનાથી સમગ્ર રાજ્યના જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. 26 નવેમ્બરના રોજ પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવી હતી. નીલકંઠ મંદિરમાં પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચેના વિવાદને લઇ તોડફોડ થઈ હોવું જાણવા મળ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime