બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમિલનાડુમાં કોંગ્રેસની મોટી જાહેરાત, એક્ટર વિજયની TVKને સમર્થન આપ્યું, DMK સાથે ગઠબંધન તૂટ્યું
Last Updated: 04:40 PM, 6 May 2026
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 ના પરિણામો બાદ દક્ષિણ ભારતનું રાજકારણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી TVK એ 108 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે. વર્ષો જૂનું DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટી ગયું છે અને કોંગ્રેસે વિજયને સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. જોકે, બહુમતીના આંકડા સુધી પહોંચવા માટે હજુ પણ વિજયને અન્ય પક્ષોના ટેકાની જરૂર પડશે.
ADVERTISEMENT
The President of Tamizhaga Vettri Kazhagam (TVK), Thiru C Vijay, has formally requested the Indian National Congress (INC) to extend its support for forming a government in Tamil Nadu. The people of Tamil Nadu, especially the youth, have delivered a very clear, strong and… pic.twitter.com/Aig79MoRoE
— Tamil Nadu Congress Committee (@INCTamilNadu) May 6, 2026
તમિલનાડુના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ રહી હોય તેવું જણાય છે. દાયકાઓ સુધી દ્રવિડિયન પક્ષો DMK અને AIADMK ના વર્ચસ્વ બાદ હવે સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિલગા વેત્રિ કઝગમ (TVK) એ સત્તાના દ્વારે દસ્તક દીધી છે. ચૂંટણી પરિણામોમાં TVK એ 108 બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. આ પરિણામો બાદ સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસે તેના જૂના સાથી પક્ષ DMK સાથેનું ગઠબંધન તોડીને વિજયને સરકાર બનાવવા માટે સમર્થન આપવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસનું માનવું છે કે જનતાએ વર્તમાન DMK સરકારની વિરુદ્ધ જનાદેશ આપ્યો છે અને તેમાં કેબિનેટના અડધાથી વધુ મંત્રીઓની હાર એ વાતની સાક્ષી પૂરે છે.
ADVERTISEMENT
The verdict has gone against the DMK government.
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 6, 2026
Half the ministers in the Cabinet have lost their seats.
We faced collateral damage for no fault of ours.
Now, BJP is eyeing Tamil Nadu.
The question before us is clear:
Should we stand with those rejected by the people’s verdict,…
કોંગ્રેસે આ સમર્થન માત્ર સરકાર રચવા પૂરતું મર્યાદિત નથી રાખ્યું, પરંતુ ભવિષ્યની વ્યૂહરચના તરીકે જોયું છે. કોંગ્રેસના સાંસદ મણિકમ્મ ટાગોરે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપને તમિલનાડુમાં પગપેસારો કરતા રોકવા માટે વિજય સાથે હાથ મિલાવવો જરૂરી છે. આ ગઠબંધન માટે કોંગ્રેસે કેટલીક શરતો પણ મૂકી છે, જેમાં કેબિનેટમાં 2 મંત્રી પદ અને સરકારી બોર્ડમાં અધ્યક્ષ પદની માંગ સામેલ છે. કોંગ્રેસે એક પ્રેસ નોટ દ્વારા જણાવ્યું કે આ ગઠબંધન પેરુન્થલાઈવર કામરાજ, થાન્થાઈ પેરિયાર અને ડૉ. બી.આર. આંબેડકરના આદર્શો પર ચાલશે, જે સામાજિક ન્યાય અને બંધારણીય મૂલ્યોને પ્રાધાન્ય આપશે.
ADVERTISEMENT
બીજી તરફ, આ રાજકીય પલટીથી DMK કેમ્પમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. DMK એ કોંગ્રેસને ‘દગાબાજ’ અને ‘પીઠમાં છરો ભોંકનાર’ ગણાવી છે. પક્ષના પ્રવક્તાએ યાદ અપાવ્યું કે જ્યારે ભાજપ રાહુલ ગાંધીને ટ્રોલ કરતું હતું, ત્યારે એમ. કે. સ્ટાલિને જ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. DMK નું કહેવું છે કે કોંગ્રેસે માત્ર સત્તાના લોભમાં આ ગઠબંધન તોડ્યું છે. જોકે, વિજયે પરિસ્થિતિને સંભાળતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખીને વિધિવત સમર્થન માંગ્યું હતું, જેનો કોંગ્રેસે સહર્ષ સ્વીકાર કર્યો છે.
આ પણ વાંચોઃ વિજય થલપતિનું સેવિંગ એકાઉન્ટ જોનારા સૌ કોઇ દંગ, જમા રકમ કરોડોમાં
ADVERTISEMENT
આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો વિજય માટે મુખ્યમંત્રીની ખુરશી હજુ પણ થોડી દૂર છે. તમિલનાડુમાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. TVK ની 108 બેઠકો અને કોંગ્રેસના 5 ધારાસભ્યો મળીને કુલ 113 નો આંકડો થાય છે, જે બહુમતીથી 5 બેઠક ઓછો છે. આ ઉપરાંત ટેકનિકલ સમસ્યા એ છે કે વિજય પોતે 2 બેઠકો પરથી જીત્યા છે, તેથી તેમણે એક બેઠક છોડવી પડશે. જો તેઓ પોતાના પક્ષના સ્પીકરની નિમણૂક કરે, તો મતદાનની ક્ષમતા હજુ પણ ઘટી શકે છે. આ સંજોગોમાં વિજય હવે VCK અને ડાબેરી પક્ષોના સંપર્કમાં છે. જો બધું બરાબર રહ્યું તો 7 May ના રોજ વિજય મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.