બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / વિશ્વ / The richest temples in the country, where donations come in the form of crores of rupees
ADVERTISEMENT
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે તાજેતરના ભૂમિપૂજન પછી બહાર આવેલી તસવીરોમાં સૂચિત મંદિરની ભવ્યતા દેખાય છે. મંદિરની રચનાની કિંમત આશરે 300 કરોડ રૂપિયા હોવાનું બહર આવ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશ સરકાર તેના કેમ્પસમાં 500 કરોડનો એક બીજો પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે. રામ મંદિરની પ્રથમ શિલા કિંમત જ 326 કરોડ રૂપિયા રહી, તો શું તે દેશનું સૌથી અમીર મંદિર હોઈ શકે? આવો આ બહાને ઓળખી ભારતના સૌથી ધનવાન મંદિરોને..
પદ્મનાભ સ્વામી મંદિર
ADVERTISEMENT
કેરળના તિરુવનંતપુરમમાં સ્થિત પદ્મનાભ સ્વામી એ દેશનું સૌથી ધનવાન મંદિર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેના 6 સેફમાં કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે. જ્યારે અહીં હાજર ભગવાન મહાવિષ્ણુની મૂર્તિ સંપૂર્ણ સુવર્ણ છે. તેની કુલ કિંમત 500 કરોડ હોવાનું કહેવાય છે. તેની સંપત્તિને લઈને ઘણા વિવાદ થયા છે અને તેથી સુપ્રીમ કોર્ટે તેમ દાખલ કરવી પડી હતી.
તિરૂપતિ તિરુમાલા બાલાજી મંદિર
ADVERTISEMENT
દેશના સૌથી પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ મંદિરોમાં તિરુમાલા તિરૂપતિ બાલાજીનું નામ પણ શામેલ છે. દરરોજ લગભગ ૬૦૦૦૦ શ્રદ્ધાળુઓની આવક ધરાવતા મંદિરમાં આસ્થાળુઓના વાળ પણ ઉતરવવામાં આવે છે તેવી એક પરંપરા હોવાનું કહેવાય છે. તેની કુલ વાર્ષિક આવક 650 કરોડ રૂપિયા છે.
શિરડીનું સાંઇ બાબા મંદિર
ADVERTISEMENT
મહારાષ્ટ્રના અહેમદ નગરમાં આવેલા શિરડી સાંઈ બાબા મંદિર દેશમાં ઘણું પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે. દર વર્ષે, લાખો લોકો વિદેશથી અહીં મુલાકાત લેવા આવે છે. શિરડી સાઈ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ દક્ષિણના મંદિરમાંથી અગાઉ વર્ષે વાર્ષિક 480 કરોડ રૂપિયા દાન આપ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે, પરંતુ છેલ્લા આંકડા વાર્ષિક રૂ. 360 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું.
વૈષ્ણો દેવી મંદિર
ADVERTISEMENT
જમ્મુમાં આવેલ માતા વૈષ્ણો દેવી મંદિર આખા દેશમાં લોકપ્રિય છે. અહીં આખું વર્ષ હજારો લોકો આવે છે. એક અનુમાન મુજબ વાર્ષિક આશરે 80 લાખ લોકો વૈષ્ણો દેવીની મુલાકાત લે છે. એક ખાનગી પ્રવાસી સાઇટના અહેવાલ અનુસાર વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડને ભક્તોના દાનથી વાર્ષિક લગભગ 500 કરોડ રૂપિયાની આવક થાય છે.
સિદ્ધિવિનાયક મંદિર
ADVERTISEMENT
મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે. અહીં દરેક સામાન્ય, વિશેષ અને સેલિબ્રિટી લોકો દર્શન કરવા આવતા હોય છે. સામાન્ય રીતે દરરોજ 25 હજાર લોકો આ મંદિરની મુલાકાત લેતા હોય છે. જ્યારે ગણેશ ચતુર્થી પર અહીં આવનારા લોકોની સંખ્યા લાખો સુધી પહોંચે છે. એક અહેવાલ અનુસાર આ મંદિરને વાર્ષિક 75 થી 125 કરોડ રૂપિયા ભક્તોના દાનથી મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.