બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકામાં રખડતા પશુઓનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ, ચીફ ઓફિસરે કરવો પડ્યો ખુલાસો
Last Updated: 08:05 AM, 9 December 2025
અમદાવાદ: દ્વારકા શહેરમાં વધતા રખડતા પશુઓના ત્રાસને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિત અરજી (PIL) દાખલ થતાં મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અરજદારના જણાવ્યા મુજબ શહેરમાં લગભગ 2 હજાર જેટલા રખડતા પશુઓ મુકતપણે ફરતા હોવાથી સ્થાનિકો અને પર્યટકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
હાઈકોર્ટે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને તાત્કાલિક નોંધપાત્ર પગલાં અને અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરીની વિગત રજૂ કરવાની સૂચના આપી છે.

ADVERTISEMENT
ચીફ ઓફિસરે કોર્ટને જણાવ્યું કે દ્વારકામાં રખડતા પશુઓને પકડવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે અને સમયાંતરે સ્પેશિયલ ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવે છે. પરંતુ અરજદારના મતે નગરપાલિકા માત્ર કાગળ પર કામગીરી બતાવે છે, જ્યારે જમીન પરની સ્થિતિ સંપૂર્ણ રીતે અલગ છે.

ADVERTISEMENT
અરજદારનો આક્ષેપ છે કે રખડતા પશુઓ દ્વારા શહેરમાં અનેકવાર સ્થાનિકો અને પર્યટકો પર હુમલા થયાં છે. કેટલાક હુમલાઓમાં મૃત્યુનાં બનાવો પણ નોંધાયા છે, છતાં નગરપાલિકા તરફથી કોઈ ઠોસ અથવા લાંબા ગાળાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ નવસારીમાં કુલ 13 કર્મચારીઓને તાત્કાલિક ધોરણે કરાયા ફરજ મુક્ત, જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં
ADVERTISEMENT
હાઈકોર્ટ હવે આગામી કાર્યવાહીમાં નગરપાલિકા દ્વારા રજૂ થનારી વિગતના આધારે આગળના આદેશો કરશે. દ્વારકામાં રખડતા પશુઓનો મુદ્દો વર્ષોથી ચર્ચામાં છે અને આ PIL બાદ હવે તેને કાનૂની ગતિ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.