બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / The leader of the opposition Congress in the AMC was not replaced by the corporators who walked out of the meeting
Vishal Khamar
Last Updated: 08:37 PM, 28 August 2023
અમદાવાદ પ્રદેશ પ્રમુખ બદલાયા બાદ હજુ પણ કોંગ્રેસનાં કોર્પોરેટરોમાં અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે કોર્પોરેટરો દ્વારા છેલ્લા ઘણા સમયથી AMC માં વિપક્ષી નેતા બદલવાની માંગ કરાઈ છે. પરંતું આ બાબતને કોંગ્રેસનાં મોવડી મંડળ દ્વારા ધ્યાને ન લેવાતા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા વોક આઉટ કરતા મામલો ગરમાયો હતો.
પદની અપેક્ષા સૌ ને હોય છે પરંતું નિર્ણય પાર્ટી કરે છેઃ શહેજાદ ખાન પઠાણ (વિપક્ષ નેતા AMC)
અમદાવાદ AMC ની સામાન્ય સભામાં કોંગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા વિપક્ષ નેતાને બદલવાને લઈ વિરોધ કર્યો હતો. ત્યારે વિપક્ષ નેતા ન બદલાતા સ્ટેન્ડિંગ કમિટીને બેઠકમાંથી કોંગ્રેસ કોર્પોરેટરોએ વોકઆઉટ કર્યું હતું. ત્યારે વિપક્ષ નેતા બદલવા માટે કે.સી વેણુગોપાલે પણ બાંહેધરી આપી હતી. આ મામલે વિપક્ષ નેતા શહેજાદ પઠાણે જણાવ્યું હતું કે, પદની અપેક્ષા સૌને હોય છે. પરંતું નિર્ણય પાર્ટી કરે છે. આ અમારો અંદરનો મામલો છે. પાર્ટી વિરૂદ્ધ નિવેદનો આપનાર કોર્પોરેટર વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેમજ નિવેદનો આપનાર કોર્પોરેટર સામે પાર્ટીએ કાર્યવાહી કરવી જોઈએ.
પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા એએમસીમાં વિરોધ પક્ષનાં નેતા બદલવાની લેખિતમાં બાંહેધરી આપી હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાંથી વોક આઉટ મામલે કોંગ્રેસનાં કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એએમસીમાં વિરોધ પક્ષનાં નેતાને બદલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ ગત જાન્યુઆરી મહિનામાં તેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે તે સમયનાં પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા એએમસીમાં વિરોધ પક્ષનાં નેતા બદલવાની બાંહેધરી લેખિતમાં આપવામાં આવી હતી. કે દર વર્ષે આપણે અમદાવાદ એએમસીમાં વિરોધ પક્ષનાં નેતા બદલી દઈશું. જે બાદ પણ સાત મહીનાં ગયા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે આજે જુનિયર, સિનીયર તમામ કોર્પોરેટરો દ્વારા સભાને બાયકોટ કરવાનો નિર્ણય લીધો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime