બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'The Kerala Story Film' can be tax free in Gujarat

વિચારણા / 'The Kerala Story' હવે ગુજરાતમાં થશે ટેક્સ ફ્રી! આજની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતા

Malay

Last Updated: 10:27 AM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Kerala Story: મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ 'ધ કેરલા સ્ટોરી ફિલ્મ' ટેક્સ ફ્રી થઈ શકે છે. આ મામલે આજની કેબિનેટની બેઠકમાં વિચારણા કરવામાં આવશે.

  • ગુજરાતમાં ધ કેરલા સ્ટોરી ફિલ્મ થઈ શકે છે ટેક્સ ફ્રી
  • રાજ્ય સરકાર ધ કેરલા સ્ટોરી ફિલ્મને કરી શકે છે ટેકસ ફ્રી
  • કેબિનેટ બેઠકમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા સંદર્ભે થશે વિચારણા

લવ જેહાદ અને ધર્મ પરિવર્તનને ઉજાગર કરતી ફિલ્મ The Kerala story દેશના તમામ સિનેમાઘરોમાં જોવા મળી રહી છે. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ધ કેરલા સ્ટોરી ફિલ્મ ટેક્સ ફ્રી થઈ શકે છે. આજે ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહેલી કેબિનેટની બેઠકમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા સંદર્ભે વિચારણા થશે. 

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં  ફિલ્મ The Kerala storyને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્ય સરકાર ધ કેરલા સ્ટોરી ફિલ્મને ટેક્સ ફ્રી કરી શકે છે. આ મામલે આજે જાહેરાત થઈ શકે છે. 

cm yogi adityanath tweet The Kerala Story tax free in up

મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ ટેક્સ ફ્રી 
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ બાદ ઉત્તરપ્રદેશમાં ધ કેરલા સ્ટોરી ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. સીએમ યોગી આદિત્યનાથ 12 મેએ લોકભવનમાં પોતાની કેબિનેટની સાથે The Kerala Story ફિલ્મને જોશે. આ પહેલા મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાને 6 મેએ કહ્યું હતું કે 'ધ કેરલ સ્ટોરી' આતંકવાદની ભયાનક હકીકતને ઉજાગર કરતી ફિલ્મ છે. તેને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 

 

શાંતિ યથાવત રાખવા બંગાળમાં ફિલ્મ પર બેન 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ને પ્રદેશમાં બેન કરી દીધી છે. મમતાએ રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો હતો કે બંગાળના થિયેટરોમાં ફિલ્મને હટાવી દેવામાં આવે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય બંગાળમાં શાંતિ બનાવી રાખવા માટે લેવામાં આવી રહ્યો છે. જેથી શહેરમાં હિંસા અને ક્રાઈમ ન થાય. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ