બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'The Kerala Story Film' can be tax free in Gujarat
Malay
Last Updated: 10:27 AM, 10 May 2023
લવ જેહાદ અને ધર્મ પરિવર્તનને ઉજાગર કરતી ફિલ્મ The Kerala story દેશના તમામ સિનેમાઘરોમાં જોવા મળી રહી છે. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ ધ કેરલા સ્ટોરી ફિલ્મ ટેક્સ ફ્રી થઈ શકે છે. આજે ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહેલી કેબિનેટની બેઠકમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા સંદર્ભે વિચારણા થશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ફિલ્મ The Kerala storyને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્ય સરકાર ધ કેરલા સ્ટોરી ફિલ્મને ટેક્સ ફ્રી કરી શકે છે. આ મામલે આજે જાહેરાત થઈ શકે છે.
મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ ટેક્સ ફ્રી
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ બાદ ઉત્તરપ્રદેશમાં ધ કેરલા સ્ટોરી ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. સીએમ યોગી આદિત્યનાથ 12 મેએ લોકભવનમાં પોતાની કેબિનેટની સાથે The Kerala Story ફિલ્મને જોશે. આ પહેલા મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાને 6 મેએ કહ્યું હતું કે 'ધ કેરલ સ્ટોરી' આતંકવાદની ભયાનક હકીકતને ઉજાગર કરતી ફિલ્મ છે. તેને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
'The Kerala Story' उत्तर प्रदेश में टैक्स फ्री की जाएगी।
— Yogi Adityanath (@myogiadityanath) May 9, 2023
શાંતિ યથાવત રાખવા બંગાળમાં ફિલ્મ પર બેન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ને પ્રદેશમાં બેન કરી દીધી છે. મમતાએ રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો હતો કે બંગાળના થિયેટરોમાં ફિલ્મને હટાવી દેવામાં આવે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય બંગાળમાં શાંતિ બનાવી રાખવા માટે લેવામાં આવી રહ્યો છે. જેથી શહેરમાં હિંસા અને ક્રાઈમ ન થાય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime