બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'The Kerala Story' actress became a victim of a road accident, tweeted a health update to fans
Megha
Last Updated: 09:31 AM, 15 May 2023
કેટલાક લોકો ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'નો જોરદાર વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ફિલ્મ જોયા પછી ફિલ્મના વખાણ કરતા થાકતા નથી. જણાવી દઈએ કે 'ધ કેરલા સ્ટોરી'ના વિવાદ પર અત્યાર સુધી ઘણા લોકો પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યા છે. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે અને ઘણી જગ્યાએ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પણ ફિલ્મ ધ કેરલા સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી પણ કરી છે. તાજેતરમાં 'ધ કેરલા સ્ટોરી'ની અભિનેત્રી અદા શર્માનો માર્ગ અકસ્માત થયો હતો.
મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો?
જણાવી દઈએ કે અદા શર્મા હાલમાં તેની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ની સફળતાનો આનંદ માણી રહી છે પણ આ દરમિયાન અભિનેત્રી અને દિગ્દર્શક સુદીપ્તો સેન 14 મેના રોજ હિંદુ એકતા યાત્રામાં સામેલ થવા માટે કરીમનગર જવાના હતા. જો કે એ પહેલા એમને માર્ગ અકસ્માત નડ્યો હતો. જે બાદ કેટલાક લોકો કહે છે કે આ અકસ્માત નથી, અભિનેત્રી અને નિર્દેશકને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પણ સત્ય શું છે તે કોઈને ખબર નથી પડી. હવે અદા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે.
I'm fine guys . Getting a lot of messages because of the news circulating about our accident. The whole team ,all of us are fine, nothing serious , nothing major but thank you for the concern ❤️❤️
— Adah Sharma (@adah_sharma) May 14, 2023
અદા શર્માનું હેલ્થ અપડેટ -
અદા શર્માએ ટ્વીટ કર્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે, 'મિત્રો હું ઠીક છું, અમારા એક્સિડન્ટના સમાચારને કારણે ઘણા મેસેજ આવી રહ્યા છે. આખી ટીમ અને અમે બધા ઠીક છીએ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા પ્રેમ બદલ આપ સૌનો આભાર. આ પહેલા 'ધ કેરલા સ્ટોરી'ના ડાયરેક્ટરે માર્ગ અકસ્માત અંગે માહિતી આપી હતી.
Today we're supposed to visit Karimnagar to talk about our film at a youth gathering. Unfortunately we could not travel due some emergency health issue. Heartfelt apology to the people of Karimnagar. We made the film to save our daughters. Pls keep supporting us #HinduEkthaYatra pic.twitter.com/LUr2UtQWfj
— Sudipto SEN (@sudiptoSENtlm) May 14, 2023
બોક્સ ઓફિસ -
ફિલ્મ ધ કેરાલા સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ શનિવારે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. વર્ષ 2023ની આ ચોથી ફિલ્મ છે, જેણે 100 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime