બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / 'The Kerala Story' actress became a victim of a road accident, tweeted a health update to fans

મનોરંજન / 'ધ કેરલા સ્ટોરી' ની અભિનેત્રી બની રોડ અકસ્માતનો શિકાર, ટ્વિટ કરીને ચાહકોને આપ્યું હેલ્થ અપડેટ

Megha

Last Updated: 09:31 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ની અભિનેત્રી અદા શર્મા અને દિગ્દર્શક સુદીપ્તો સેન 14 મેના રોજ હિંદુ એકતા યાત્રામાં સામેલ થવા માટે કરીમનગર જવાના હતા પણ એ પહેલા એમને માર્ગ અકસ્માત નડ્યો હતો.

  • 'ધ કેરલા સ્ટોરી'ની અભિનેત્રી અદા શર્માનો માર્ગ અકસ્માત થયો
  • મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો?
  • અદા શર્માએ ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું

કેટલાક લોકો ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'નો જોરદાર વિરોધ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ફિલ્મ જોયા પછી ફિલ્મના વખાણ કરતા થાકતા નથી. જણાવી દઈએ કે 'ધ કેરલા સ્ટોરી'ના વિવાદ પર અત્યાર સુધી ઘણા લોકો પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યા છે. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે અને ઘણી જગ્યાએ આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પણ ફિલ્મ ધ કેરલા સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી પણ કરી છે. તાજેતરમાં 'ધ કેરલા સ્ટોરી'ની અભિનેત્રી અદા શર્માનો માર્ગ અકસ્માત થયો હતો. 

મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો?
જણાવી દઈએ કે અદા શર્મા હાલમાં તેની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ની સફળતાનો આનંદ માણી રહી છે પણ આ દરમિયાન અભિનેત્રી અને દિગ્દર્શક સુદીપ્તો સેન 14 મેના રોજ હિંદુ એકતા યાત્રામાં સામેલ થવા માટે કરીમનગર જવાના હતા. જો કે એ પહેલા એમને માર્ગ અકસ્માત નડ્યો હતો. જે બાદ કેટલાક લોકો કહે છે કે આ અકસ્માત નથી, અભિનેત્રી અને નિર્દેશકને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પણ સત્ય શું છે તે કોઈને ખબર નથી પડી. હવે અદા શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. 

અદા શર્માનું હેલ્થ અપડેટ -
અદા શર્માએ ટ્વીટ કર્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે, 'મિત્રો હું ઠીક છું, અમારા એક્સિડન્ટના સમાચારને કારણે ઘણા મેસેજ આવી રહ્યા છે. આખી ટીમ અને અમે બધા ઠીક છીએ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા પ્રેમ બદલ આપ સૌનો આભાર. આ પહેલા 'ધ કેરલા સ્ટોરી'ના ડાયરેક્ટરે માર્ગ અકસ્માત અંગે માહિતી આપી હતી. 

બોક્સ ઓફિસ -
ફિલ્મ ધ કેરાલા સ્ટોરીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ શનિવારે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. વર્ષ 2023ની આ ચોથી ફિલ્મ છે, જેણે 100 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ