બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સામાન્ય રીતે સમય જતાં નદીનું વહેણ અને દિશા બદલાય છે.જોકે નાઇલ નદી લાખો વર્ષોથી એકધારી રીતે તેના મુળ વહેણમાં જ વહી રહી છે.જેનું રહસ્ય હજુ વિજ્ઞાનીઓ પણ સમજી શક્યા નથી.પરંતુ ટેકસાસની ઓસ્ટિન યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે ખાસ ભૌગોલિક રચનાના કારણે નાઇલનું વહેણ યથાવત રહ્યું છે.જો નાઇલનું વહેણ સમય જતાં નોંધપાત્ર રીતે બદલાયું હોત તો માનવ જાતિનો ઇતિહાસ પણ કદાચ અલગ હોત.
નાઇલના વહેણ માટે કુદરતી રીતે આફ્રિકાની જમીન પર બનેલો ઢાળ પણ જવાબદાર
ADVERTISEMENT
ઇજિપ્તની સંસ્કૃતિ હજારો વર્ષ જુની છે.ત્યાંના ભવ્ય પિરામિડ સહિતના સ્થાપત્યો તેની ગવાહી આપતા આજે પણ ઉભા છે.ઇજિપ્તની સંસ્કૃતિમાં પણ નાઇલનો મોટો ફાળો છે.પ્રાચીન કાળથી નદીના કિનારાના વિસ્તારોમાં સૌ પ્રથમ સંસ્કૃતિઓ ફુલી ફાલી છે.ઇજિપ્તમાં પણ નાઇલ પ્રાચીન સંસ્કૃતિ કાળથી એ જ રીતે વહી રહી છે.સંશોધકો કહે છે કે નાઇલના વહેણ માટે કુદરતી રીતે આફ્રિકાની જમીન પર બનેલો ઢાળ પણ જવાબદાર છે.કરોડો વર્ષ પહેલા પૃથ્વીના ભુગર્ભમાં મચેલી ઉથલપાથલ અને જવાળામુખી ફાટવાથી બનેલા લાવાના ખડકોના કારણે એક કુદરતી પાથ તૈયાર થયો છે.
ટેકનિકથી હવે ચીનની યાંગ્ત્ઝે અને આફ્રિકાની કોંગો નદી પર સંશોધન થઇ શકશે
ADVERTISEMENT
સંશોધકોએ હજારો વર્ષ પહેલાના આફ્રિકાના ભૌગોલિક અને ભુસ્તરીય ઇતિહાસની પણ બારીકાઇથી જાણકારી મેળવી હતી.જોકે નાઇલ કેવી રીતે ઉદભવી અને આટલા લાંબા સમયથી કેમ યથાવત રીતે વહી રહી છે તેનો ચોક્કસ જવાબ હજુ સંશોધકોને મળ્યો નથી.છતાં નવા સંશોધનો એકદમ એકસાઇટિંગ છે તેમ સંશોધકો કહી રહ્યા છે.આ ટેકનિકથી હવે ચીનની યાંગ્ત્ઝે અને આફ્રિકાની કોંગો નદી પર સંશોધન થઇ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.