બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 19 વર્ષ પહેલાની એ ફિલ્મ, જેને અનેક એવોર્ડ્સ કર્યા પોતાને નામ, જાણો 'મહાત્મા' કનેક્શન

મનોરંજન / 19 વર્ષ પહેલાની એ ફિલ્મ, જેને અનેક એવોર્ડ્સ કર્યા પોતાને નામ, જાણો 'મહાત્મા' કનેક્શન

Nirav Kumar

Last Updated: 04:28 PM, 2 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે બ્રિટિશરોનો સૂર્ય મધ્યમાં તપતો હતો ત્યારે તેમની કોલોનીઝમાં અનેક જગ્યાએ સશસ્ત્ર બળવા થઇ રહ્યા હતા એવામાં મહાત્મા ગાંધીએ અહિંસાના માર્ગે આઝાદીનો રસ્તો અપનાવ્યો હતો. આથી તેમની ઉપર અનેક ફિલ્મો બની છે. આવી જ એક મુવી 2006માં આવી હતી. જે લોકોને આજે પણ ખુબ પસંદ પડે છે.

જ્યારે દેશ ગુલામીની જંજીરોથી બંધાયેલો હતો તે સમયે માનવતા અનેક પડકારોનો સામનો કરી હતી. અંગ્રેજોના જમાનામાં બે વર્લ્ડ વોર પણ થયા હતા. જેમાં સેંકડો લોકો મર્યા હતા. એ સમયે કોઈને હથિયારથી મારવું આસાન હતુ. જ્યારે આફ્રિકા જેવા દેશોમાં સશસ્ત્ર બળવા થઇ રહ્યા હતા તે સમયે મહાત્મા ગાંધીએ અહિંસાના રસ્તે આઝાદીનો માર્ગ અપનાવ્યો હતો. આથી ગાંધી ઉપર અનેક ફિલ્મો બની છે. જેમાં તેમની વિચારધારા વિશે નવા લોકોને અવગત કરાવવાનો પ્રયાસ થયેલો છે. આવી જ એક સુપરહિટ મુવી વર્ષ 2006માં એટલે કે, 19 વર્ષ પહેલા આવી હતી. જેમાં ગાંધીયન આઇડિઑલજી દર્શાવતી "લગે રહો મુન્નાભાઈ"  નામની આ મુવી લોકોને ખુબ પસંદ આવી હતી. જેને અનેક એવોર્ડ પણ જીત્યા હતા.

  • મુન્નાભાઈની ગાંધીગીરી
    'લગે રહો મુન્નાભાઈ'એ લોકો પર ઊંડી છાપ છોડી છે. અને બોક્સ ઓફિસ પર પણ તેને તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મ મહાત્મા ગાંધીની વિચારધારા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આ ફિલ્મ ગાંધીજીના સત્યાગ્રહ, અહિંસા અને સાદગીના સિદ્ધાંતોને આધુનિક સંદર્ભમાં રજૂ કરતી મળી હતી. જેમાં મુન્નાભાઈ એટલે કે સંજય દત્ત ગાંધીજીના સત્યાગ્રહના સિદ્ધાંતને અપનાવતા જોવા મળે છે. જે હિંસા કે અસત્ય વગર સત્ય અને નૈતિકતા પર દરેક સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે.

'લગે રહો મુન્નાભાઈ' માં મહાત્મા ગાંધીની વિચારધારાને માત્ર એક આદર્શ તરીકે જ નહીં પરંતુ રોજિંદા જીવનમાં અપનાવવાની રીત બતાવવામાં આવી હતી. જેમાં બતાવાયું છે કે સત્ય, અહિંસા અને ધીરજ દ્વારા મોટી સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકાય છે. મુન્નાભાઈ એટલે કે, સંજય દત્ત આ ફિલ્મમાં પહેલા ગેંગસ્ટર હોય છે છતાં તે બાદમાં પોતાના પ્રેમને હાંસીલ કરવા ગાંધીના માર્ગ પર ચાલવાનું શરુ કરે છે.

  • બોક્સ ઓફિસ પર મચાવી હતી ધમાલ
    રાજકુમાર હિરાનીએ બનાવેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. સંજય દત્ત, અરશદ વારસી, વિદ્યા બાલન અને બોમન ઈરાની જેવા આર્ટિસ્ટવાળી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ  નેશનલ એવોર્ડ પણ જીતવામાં સફળ રહી હતી. આ ફિલ્મ 22 કરોડના બજેટમાં બની હતી જેને વિશ્વભરમાં 124.98 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે માત્ર 7 દિવસમાં તેનો ખર્ચ વસૂલ કરીને 50 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી હતી.

વધુ વાંચો : ઋતિક રોશન-સબાના સંબંધના ચાર વર્ષ, રોમેન્ટિક ફોટો શેર કરી લખી ખાસ પોસ્ટ

  • અનેક એવોર્ડ જીત્યા
    આ ફિલ્મે ચાર નેશનલ એવોર્ડ જીત્યા હતા. પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર દિલીપ પ્રભાવલકરને બેસ્ટ સપોર્ટિંગ એકટર માટે મળ્યો, જેમણે મહાત્મા ગાંધીનો રોલ કર્યો હતો. બીજો એવોર્ડ અભિજાત જોશી, રાજકુમાર હિરાની અને વિધુ વિનોદ ચોપરાને બેસ્ટ સ્ક્રીનપ્લે માટે મળ્યો હતો. સ્વાનંદ કિરકિરેને બેસ્ટ લિરીસીસ્ટનો એવોર્ડ મળ્યો હતો અને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઈડિંગ વ્હોલસમ એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ અપાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahatma Gandhi Lage Raho Munnabhai Rajkumar Hirani
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ