બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / ભારત / મુંબઈ / Politics / કસાબ નહી, પોલીસવાળાની ગોળીથી થયું હતું હેમંત કરકરેનું મૃત્યું, કોંગ્રેસ નેતાએ ઉજ્જવલ નિકમને કહ્યા દગાખોર
Last Updated: 02:47 PM, 5 May 2024
મુંબઈમાં આતંકી હુમલાને લઈ કોંગ્રેસ નેતા વિજય વડેત્તિવારે મહત્વનો દાવો કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષનાં નેતા વડેત્તિવારે શનિવારે કહ્યું હતું કે આઈપીએસ અધિકારી હેમંત કરકરેનું મૃત્યું અજમલ કસાબ કે કોઈ આતંકવાદીની ગોળીથી નહી. પરંતું એક પોલીસ અધિકારીની ગોળીથી થયું હતું. જે આરએસએસ સાથે જોડાયેલ હતો. તેમણે ભાજપનાં ઉમેદવાર તેમજ વકીલ ઉજ્જવલ નિકમ પર આરોય લગાવ્યો છે કે તેમણે ગદ્દારી કરી અને આ સચ્ચાઈને છુપાવી લીધી હતી. તમને જણાવી દઈએ કે ઉજ્જવલ આ મામલે સરકારી વકીલ હતા.
ADVERTISEMENT
What nonsense, this Congress leader says, Kasab didn’t kill Karkare.
— Singh Varun (@singhvarun) May 5, 2024
He’s now giving Kasab & Pakistan a clean chit. He is @VijayWadettiwar LoP & Congress leader from Maharashtra. No wonder Congress is doomed pic.twitter.com/vPr6Uk3yKL
ADVERTISEMENT
વડેત્તિવારે કહ્યું કે, તપાસ દરમ્યાન કેટલીક મોટી જાણકારી પણ સામે આવી હતી. તો પણ ઉજ્જવલ નિકમે તેને છુપાવી હતી. મારો સવાલ એ છે કે હવે ભાજપા આખરે આવા દગાખોરોને લોકસભા ચૂંટણીમાં કેમ ઉતારી રહી છે? આવું કરીને ભાજપ એક ગદ્દારને બચાવી રહી છે. વડેત્તિવારનાં આ નિવેદનનો નિકમ તેમજ ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ જવાબ આપ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે વડેત્તિવારનું નિવેદન કોઈ પણ આધાર પુરાવા વગરનું છે. એમણે કહ્યું કે કોંગ્રેસ કસાબની સમર્થક રહી છે. ત્યાં જ નિકમે કહ્યું કે આ રીતનાં પાયા વગરનાં આરોપોથી અમને ખૂબ જ દુઃખ થાય છે. મને ખબર ન હતી કે લોકો મતનાં ફાયદા માટે આટલી હદ સુધી નીચા જઈ શકે છે. વડેત્તિવારે માત્ર મારૂ અપમાન નથી કર્યું. પરંતું 26/11 નાં હુમલામાં જે 166 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તે તમામ લોકોનું અપમાન કર્યું છે.
તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસનું કહેવું છે કે કસાબ નિર્દોષ છે. પાકિસ્તાને પણ માની લીધું હતું કે, તે આ ષડયંત્રમાં સંકળાયેલ છે. તમામ લોકોને ખબર હતી કે કસાબને સજા અપાવવા માટે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. નિકમે કહ્યું કે 4 જૂને આ લોકોને જનતા જવાબ આપશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમારૂ તેમજ નિકમનો સાથ છે. ત્યાં કોંગ્રેસને કસાબ સાથે હાથ મિલાવી લીધો છે. શિવસેનાનાં પ્રવક્તા કિરન પાવસ્કરે કહ્યું કે NIAએ વડેત્તિવારની ધરપકડ કરવી જોઈએ. મોટી આશ્ચર્યની વાત છે કે આવા નિવેદન પર ઉદ્ધવ ઠાકરે પણ ચૂપ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT