સોના-ચાંદીમાં પણ કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો છે. પહેલી ઓક્ટોબર સુધી દેશમાં નવી કસ્ટમ નીતિ લાગુ કરી દેવાશે.
સોના-ચાંદીમાં પણ કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો
મોબાઈલ ટેક્નોલોજી પર કસ્ટમ ડ્યુટીને વધારી
કોપર અને સ્ટીલમાં ડ્યૂટી ઘટાડવામાં આવી
સોનું-ચાંદીની કિંમતમાં થશે ઘટાડો
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે, મોબાઈલ ટેક્નોલોજી પર કસ્ટમ ડ્યુટીને વધારી દેવાઈ છે. હવે 2.5 ટકા સુધી વધારો કરી દેવાયો છે. જો કે, તેની સામે કોપર અને સ્ટીલમાં ડ્યૂટી ઘટાડવામાં આવી છે. નાણાં પ્રધાન નીર્મલા સીતારમણે કહ્યું કે, સોના-ચાંદીમાં પણ કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો છે. પહેલી ઓક્ટોબર સુધી દેશમાં નવી કસ્ટમ નીતિ લાગુ કરી દેવાશે.
મહત્વનું છે કે, સોના-ચાંદીમાં જાહેરાતના કારણે લોકોને આગામી સમયમાં ફાયદો મળી શકે છે. હાલ સોનાની કિંમત 50 હજારની આસપાસ પ્રતિ તોલા પર રહે છે. ત્યારે આ જાહેરાત બાદ સોના ચાંદીના ભાવમાં અસર જોવા મળશે.